તુલસીનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડનું ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં અનેરુ સ્થાન છે. આ સાથે જ તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે.
રોજ સવારે તુલસીના પત્તા ખાવાની ટેવ પાડવામાં આવે તો આપ હંમેશા સ્વસ્થ રહેશો. તુલસીના કારણે ન માત્ર શરદી, ખાંસી જેવી બીમારીઓ દુર થાય છે પરંતુ પાચન પણ સુધારે છે.
તુલસીમાં એન્ટી-બેક્ટીરિયલ પ્રૉપર્ટીઝ હોય છે. સવારે ખાલી પેટ તુલસીના પત્તા ખાવો, તેથી કેટલાક જ દિવસોમાં આપને શરદી-ખાંસીમાં રાહત મળશે.
તુલસીના પત્તા પાચન સારું રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ પણ દૂર રાખે છે. બૉડીના પીએચ લેવલને મેનટેન કરવામાં પણ તુલસી મદદગાર સાબિત થાય છે.
સ્ટડીઝનું માનીએ તો તુલસીના પત્તામાં હાજર એડેપ્ટોજેન સ્ટ્રેસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરતા બ્લડ ફ્લોને સુધારે છે. તુલસીના પત્તાથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે. સ્ટ્રેસ અને માથાના દુખાવાથી રાહત મેળવવા માટે રોજ સવારે ખાલી પેટ 2-3 તુલસીના પત્તાનું સેવન કરવું જોઇએ.