Air Asiaની અમદાવાદથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક સુધી અઠવાડિયામાં ચાર દિવસ સીધી ડાયરેક્ટ સર્વિસ શરૂ થશે. આ સર્વિસ 31 મે 2019થી શરૂ થશે. 31 મે, 2019થી 4 ફેબ્રુઆરી, 2020 દરમિયાન પ્રવાસ કરવા માટે 9થી 21 એપ્રિલ સુધી airasia.com પર કે એરએશિયા મોબાઇલ એપ પર બુકિંગ કરાવી શકાય છે.
આ છે ટાઇમિંગ:
ઇકૉનોમી ક્લાસમાં 180 સીટના એરબસ 320નો ઉપયોગ કરવામાં આવશે, જે અમદાવાદથી ફ્લાઇટ FD 145 તરીકે રાતે 22:20 પર ઉડાન ભરીને સવા ચાર વાગ્યે (થાઇલેન્ડનો સમય જે ભારતીય સમય કરતા દોઢ કલાક આગળ છે) પહોંચશે. બેંગકોકથી આ ફ્લાઇટ 144 સ્થાનીય સમયના અનુસાર સાજે સાત વાગે ઉડાન ભરીને 21:50 વાગે અમદાવાદ પહોંચશે.
અમદાવાદ બન્યુ નવમું શહેર:
કોચી, ચેન્નાઈ, બેંગાલુરુ, ભુવનેશ્વર, જયપુર, વિશાખાપટનમ અને ગયા (સિઝનલ) પછી Air Asia થાઇલેન્ડ (કેરિયર કોડ એફડી) માટે અમદાવાદનું નવું ડેસ્ટિનેશન છે. ઉલ્લેખનીય છે કે, Air Asia પાસે હાલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે લાયસન્સ નથી જે કારણે આ ઉડાન Air Asia થાઇલેન્ડની મદદથી સંચાલિત કરાશે. આગામી સમયમાં અઠવાડિયાના 7 દિવસે આ ફ્લાઇટ સફર કરે તેવી શક્યતા છે.
Air Asiaના માર્કેટિંગ હેડે જણાવ્યુ કે, ''ભારત Air Asia માટે વ્યૂહાત્મક બજાર છે અને અમારું ધ્યાન દેશ સાથે અમારું આંતરરાષ્ટ્રીય જોડાણ વધારવા પર કેન્દ્રિત છે. આ નવો રુટ છે, જે પશ્ચિમ ભારત માટે પ્રવાસની તકો વધારશે અને અમને વિશ્વાસ છે કે ઓછું ભાડું અને એવોર્ડ વિજેતા સર્વિસનો અમારો વિશિષ્ટ સમન્વય આ ઓછી સુવિધા ધરાવતાં રુટ પર ટ્રાફિકને પ્રોત્સાહન આપશે તેમજ પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે. ''
આટલુ હશે ભાડુ:
શરૂઆતમાં વનવે 4999 રૂપિયાનું ભાડુ રાખવામાં આવ્યુ છે. સફરમાં ગુજરાતી અને શાહકારી ભોજન ઉપલબ્ધ થશે, આ સિવાય જૈન ભોજનની પણ ઉપલબ્ધ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 15 લાખ ભારતીયોએ થાઇલેન્ડની સફર કરી, જેમાંથી અંદાજે 1.50 લાખ લોકો ગુજરાતથી આવે છે. ભારતીય મુસાફરોમાં દર વર્ષે 10-12%ની વૃદ્ધિ થઈ રહી છે.