Life Insurance Corporation of India (LIC)નાં અધિકારીઓઓ શું ગ્રાહકોને ફોન કરી લાલચ આપી ભ્રમિત કરી રહ્યાં છે. શું ગ્રાહકો અને વીમા ધારકો સાથે છેતરપિંડી થઈ રહી છે. શું છે આ સમગ્ર મામલો કેમ LIC ધારકો હેરાન થઈ રહ્યાં છે.
LICનાં ગ્રાહકો સાથે થઈ રહી છે છેતરપિંડી
LIC ગ્રાહકોને થઈ રહ્યાં છે હેરાન
ગ્રાહકોને ચેતવણી આપતા LIC કહ્યું આમ...
LIC કંપનીએ વીમાધારકો અને ગ્રાહકોને એલર્ટ કર્યા છે
એ તમામ વીમાધારકો અને ગ્રાહકોને એલર્ટ કર્યા છે. કંપનીનાં જણાવ્યાનુંસાર તેમને ફરિયાદ મળી છે કે કેટલાય ગ્રાહકોએ તેમને મોબાઈલ અને લેન્ડલાઈન પર ફોન કરી ભ્રમિત કરવામાં આવે છે. કંપનીનાં જણાવ્યાનું સાર કેટલાક લોકો LIC અધિકારી, એજન્ટ અથવા વીમા નિયામક, આઈઆરડીએના અધિકારી બની ફોન કરે છે. વીમા ધારકો તેમની ઈન્સ્યોરન્સ પોલીસીને લઈને વધારી ચઢાવીને ફાયદા બતાવે છે. તેઓ વર્તમાન પોલીસી માટે ગ્રાહકોને મનાવી લે છે.
એજન્ટો ગ્રાહકોને આ રીતે છેતરે છે
કેટલાક વીમા એજન્ટોએ જણાવ્યું કે કેટલાંક ગ્રાહકોને પોલીસ સરેન્ડર કરાવીને સારા વળતરની લાલચ આપી તેમની પાસેથી વધારે પૈસા પણ વસુલવામાં આવ્યાં છે. કેટલાક ગ્રાહકોને ખોટા વાયદા કરી તેમના પૈસાને અન્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરાવી દેવામાં આવે છે.
પોલીસીને સત્તાવાર વેબસાઈટ પર રજિસ્ટર કરો
એલઆઈસીએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના ગ્રાહકોને કોઈ પણ પોલીસી સરેન્ડર કરવા પ્રેરિત નથી કરતાં. કંપનીએ અપીલ કરી છે કે ગ્રાહક અમાન્ય નંબરો પરથી આવનારા ફોનને અટેન્ડ ન કરે. LIC ગ્રાહક તેમની પોલીસીને સત્તાવાર વેબસાઈટ licindia.in પર રજિસ્ટર કરાવી લે અને ત્યાંથી જ તમામ માહિતી મેળવે.
તમે એજન્ટોના લાઈસન્સ તથા LICદ્વારા જાહેર કરવામાં આવેલા આઈકાર્ડ પણ ચેક કરો
કંપનીએ જણાવ્યું છે કે પોલીસી ખરીદતા પહેલા એજન્ટોના લાઈસન્સ તથા LICદ્વારા જાહેર કરવામાં આવેલા આઈકાર્ડ પણ ચેક કરી શકો છો. આ ઉપરાંત જો ગ્રાહકોને કોઈ ભ્રમિત કરતાં કોલ આવે છે તો તે co_crm_fb@licindia પર ઈ- મેઈલ કરી શકે છે. તેમજ કોઈ મદદની જરુર પડે તો એલઆઈસીની વેબસાઈચ પર જઈને ગ્રીવાંસ રિડ્રેસલ ઓફિસરની ડિટેલ્સ લો અને તેમને સંપર્ક કરો.