હવે વિજ્ઞાનીઓનું કહેવું છે કે મંગળની બરાબર આકારવાળા આ પિંડની આ ટક્કરથી પૃથ્વી પર પાણી પણ આવ્યું અને અહીં જીવન શક્ય બન્યું. સરળ શબ્દોમાં કહીએ તો ચંદ્ર વગર પૃથ્વી પર જીવનનો વિકાસ અશક્ય છે.
નવી દિલ્હીઃ એવું માનવામાં આવે છે કે લગભગ ૪.૪ અબજ વર્ષ પહેલાં એક ખગોળીય પિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો. આ ટક્કરનાં કારણે ચંદ્રમાનું નિર્માણ થયું હતું. હવે વિજ્ઞાનીઓનું કહેવું છે કે મંગળની બરાબર આકારવાળા આ પિંડની આ ટક્કરથી પૃથ્વી પર પાણી પણ આવ્યું અને અહીં જીવન શક્ય બન્યું. પહેલાં ખગોળશાસ્ત્રીઓનું માનવું હતું કે થિયા નામનો આ પિંડ આપણા સૌરમંડળનો જ ભાગ હતો, પરંતુ નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ આ પિંડ સૌરમંડળની બહારથી આવ્યો હતો.
પૃથ્વી સૌરમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે, જેની નજીક ૭૦ ટકા ભાગમાં પાણી છે. તેનાં ચંદ્રમા પણ અન્ય ગ્રહોનાં ઉપગ્રહની સરખામણીમાં મોટા છે. ચંદ્રનાં કારણે ધરતીની કક્ષા સ્થિર છે. ધરતી પર જીવનનાં વિકાસ માટે પાણીની સાથે-સાથે ચંદ્ર પર મહત્વનો છે.
જર્મનીની યુનિવર્સિટી ઓફ મન્સ્ટરનાં પ્રોફેસરે જણાવ્યું હતું કે પહેલી વાર ચંદ્રમા બન્યા અને પૃથ્વી પર પાણીની ઉત્પત્તિ અંગે જાણ થઈ. સરળ શબ્દોમાં કહીએ તો ચંદ્ર વગર પૃથ્વી પર જીવનનો વિકાસ અશક્ય છે. વિજ્ઞાનીઓએ આ અભ્યાસનાં પરિણામ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ સંશોધકોનાં દાવા પર એક વાર ફરી ખગોળશાસ્ત્રીઓને ધરતી પર જીવનનાં વિકાસ પર ચર્ચા માટે મજબૂર કર્યા છે.