સરકાર માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 કરવામાં આવનાર છે. જેથી લોકોને પોષાય તેવી અને સારી દવા મળી રહે.
સરકાર માર્ચ 2024 સુધીમાં PMBJK ની સંખ્યા વધારીને 10,000 કરશે
દેશભરના 766 માંથી 743 જિલ્લાઓને આવરી લેતા 9,000 થી વધુ કેન્દ્રો કાર્યરત
લોકોને સસ્તી દવા મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરે છે
સરકાર માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 કરવામાં આવનાર છે. ત્યારે જન ઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, છેલ્લા આઠ વર્ષમાં PMBJP દ્વારા લગભગ 18,000 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે. સરકારે દેશભરના 766 માંથી 743 જિલ્લાઓને આવરી લેતા 9,000 થી વધુ કેન્દ્રો કાર્યરત કર્યા છે.
આવી દવાઓ PMBJKમાં વેચાય છે, જેની કિંમત બ્રાન્ડેડ દવાઓ કરતા 50 ટકાથી 90 ટકા ઓછી છે. આ કેન્દ્રો પર 1,759 દવાઓ અને 280 સર્જિકલ સાધનો ઉપલબ્ધ છે.
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલયે નવેમ્બર 2008માં આ કેન્દ્રોની શરૂઆત કરી હતી અને PMBJPએ ડિસેમ્બર 2017માં 3,000 કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. માર્ચ 2020 માં, આ કેન્દ્રોની સંખ્યા વધીને 6,000 થઈ ગઈ.
કેન્દ્રોની સંખ્યા 8,610 થી વધીને હવે 9,000 થઈ ગઈ છે
ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્રોની સંખ્યા 8,610 થી વધીને હવે 9,000 થઈ ગઈ છે, એમ દેશભરના 743 જિલ્લાઓને આવરી લેતા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. સરકારે સમગ્ર દેશમાં 766 માંથી 743 જિલ્લાઓને આવરી લેતા 9,000 થી વધુ કેન્દ્રો સાથે PMBJP ની પહોંચ વિસ્તૃત કરી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકારે માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
5,300 કરોડ રૂપિયાની બચત
નાણાકીય વર્ષ 2021-22માં જન ઔષધિ કેન્દ્રો દ્વારા 893.56 કરોડ રૂપિયાની દવાઓ અને તબીબી સાધનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ રીતે, બ્રાન્ડેડ દવાઓની તુલનામાં, તેનાથી દેશવાસીઓને 5,300 કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળી.
નવેમ્બર 2008 માં શરૂ કરાયેલ
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના (PMBJP) બધાને સબસિડીવાળા દરે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અસ્તિત્વમાં આવી. આ યોજના નવેમ્બર 2008 માં ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઓછી કિંમતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. PMBJPને દેશની ગરીબ વસ્તી અને મધ્યમ વર્ગને પોષણક્ષમ ભાવે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં સારી સફળતા મળી છે.