લોકડાઉને અનેક લોકોના જીવન બદલી નાંખ્યા છે.અનેકની રોજગારી છીનવી તેમને રોડ પર લાવી દીધા છે.કેટલાકે ભણી ગણી સારી ડિગ્રી મેળવી છે પરંતુ સુરતમાં એક એવો યુવાન છે કે જ્યાં બેચલર ઓફ સિવિલ એન્જીનીયર કરી ચુક્યો હોવા છતાં રસ્તાની બાજુએ આલુપુરી વેચવા માટે મજબૂર બન્યો છે લોકડાઉનના લીધે નોકરી ગુમાવી દેતાં હવે આ યુવાનણે હવે આ ધંધો કરવાની ફરજ પડી હતી.
લોકડાઉને છીનવી લીધી નોકરી
સુરતનો યુવાન આલુપૂરી વેચવા મજબૂર
શિક્ષિત એન્જિનિયર યુવાને નોકરી ગુમાવી
આ સત્ય હકીકત છે અને આ યુવાન સુરતના ઉધના વિસ્તારનો રહેવાસી છે.જે બેચલર ઓફ સિવિલ એન્જીનીયર નો અભ્યાસ કરી ચુક્યો છે.પરંતુ સિવિલ એન્જીનીયર નીં ફિલ્ડમાં ફરવા માટે તે શરીરે સક્ષમ ન હોવાના કારણે આલુપુરી નું વેચાણ કરવા માટે મજબૂર બન્યો હોવાનું યુવાને જણાવ્યું છે
સુરતનો એન્જિનિયર યુવાન આલુપૂરી વેચે છે
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મીરા નગર સોસાયટી સ્થિત ઝાંસીની રાની ગાર્ડન બહાર આલુપુરી નું વેચાણ કરતા આ યુવાનનું નામ શેખ સૂફીયાન છે જે બેચલર ઓફ સિવિલ એન્જીનીયર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યો છે.યુવાનને આશા હતી કે બેચલર ઓફ સિવિલ એન્જીનીયર નો અભ્યાસ પૂર્ણ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થશે.પરંતુ શરીર થી આર્થિક રીતે અસક્ષમ સેખ સૂફીયાન પોતાની મજબૂરી ના કારણે આલુપુરી વેચવા માટે મજબૂર બન્યો છે.સેખ સૂફીયાન ,તેની પત્ની અને પરિવાર લોક ડાઉન પહેલા સુરત સ્થાયી થયા હતા.
લોકડાઉનથી આવી હાલત થશે તેનો અંદાજો યુવાનને નહોતો
નવા વેપાર અને ધંધાની આશાએ સુરત સ્થાયી થયેલા શેખ સૂફીયાન ને ખબર નહોતી કે લોક ડાઉન લાગશે અને તેને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો પણ આવશે.લોક ડાઉન ના પાંચ થી સાત મહિના ભારે હૈયે પસાર કરી કોઈ રોજગારી ની આશા ન દેખાતા આખરે આલુપુરી નો નાનો ધંધો શરૂ કરવા સૂફીયાન મજબુર બન્યો હતો.જ્યાં" એન્જીનીયર "આલુપુરી નામથી ધંધો કરતા સેખ સૂફીયાને નવી આશા જગાવી બેઠો છે કે તેણે જે અભ્યાસ કર્યો છે તેનો લાભ અન્ય કોઈ ફિલ્ડમાં જોબ મળી સકશે.
યુવાન બેકપેઇનની સમસ્યાથી પીડાય છે
સૂફીયાન ને કમરના ભાગે બેકપેઇન ની મોટી સમસ્યા છે જેના કારણે તે સિવિલ એન્જીનીયર જેવી ફિલ્ડમાં કામ કરી શકે તેવી તેની શ્રમતા નથી.જે સૂફીયાન નું કહેવું છે.પરંતુ તેમ છતાં તેણે આશા સેવી છે કે જો અન્ય ફિલ્ડમાં કામ મળે તો તે કરવા તૈયાર છે.જો કે ત્યાં સુધી આલુપુરી વેચી પોતાના પરિવારનું આ રીતે ગુજરાન ચલાવશે.સૂફીયાન નું કહેવું છે કે હાલ જ્યાં સુધી કોઈ અન્ય માર્ગ નહીં દેખાય ત્યાં સુધી આલુપુરી નો વ્યવસાય કરી પરિવાર નું ભરણપોષણ ચલાવશે.હાલ દરરોજ 30 જેટલી આલુપુરી ની પ્લેટ વેચી ઘરનું ભરણપોષણ થાય તેટલો વકરો મળી રહે છે.