સેના પ્રમુખ જનરલ બિપિન રાવત આજે નિવૃત્ત થયા છે. તેમની જગ્યાએ હવે જનરલ મનોજ મુકુંદ નરવણેએ સેના પ્રમુખનું પદ સંભાળ્યું છે. તેઓ દેશના 28મા નવા સેના પ્રમુખ બન્યા છે.અગાઉ પણ ઉમદા કામગીરી નિભાવી ચૂક્યા છે.
દેશને મળ્યા નવા આર્મી ચીફ
મનોજ મુકુંદ નરવણેએ સંભાળ્યો કાર્યભાર
બિપિન રાવતની હાજરીમાં સંભાળ્યું પદ
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત આજે નિવૃત્ત થયા છે. તેમની જગ્યા હવે જનરલ મનોજ મુકુંદ નરવણેએ લીધી છે. મંગળવારે બિપિન રાવતની હાજરીમાં જ તેઓએ કાર્યભાર સંભાળ્યો. લેફ્ટનન્ટ જનરલ નરવણે પણ હાલ સુધી સેનાના ઉપ પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા. જનરલ મનોજ નરવણે દેશના 28મા સેના પ્રમુખ છે.
General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/ojJFCBIheA
પહેલાં લેફ્ટનન્ટ જનરલ નરવણે ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતા
મનોજ મુકુંદ નરવણે પણ હાલ સુધી આર્મીના ઉપ પ્રમુખ હતા. આર્મી ચીફ બનતાં જ તે દુનિયાની સૌથી તાકતવર સેનાઓમાં સામેલ 13 લાખ સૈનિકોના નેતા બન્યા છે. આર્મીના વાઈસ ચીફ બનતાં પહેલાં લેફ્ટનન્ટ જનરલ નરવણે ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતા. ઈસ્ટર્ન કમાન્ડ ભારત - ચીનની 4000 કિલોમીટર લાંબી સીમાની દેખરેખ કરતી હતી.
બિપિન રાવતે મનોજ નરવણેને અભિનંદન આપ્યા
ઉલ્લેખનીય છે કે બિપિન રાવત આજે જ સેના પ્રમુખના પદથી રિટાયર થયા છે. તેઓ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનવાના છે. તેમના નામની જાહેરાત થઈ ચૂકી છે. નવા વર્ષે તેઓ સીડીએસનું પદ સંભાળશે. બુધવારે રિટાયર થયા બાદ બિપિન રાવતે મનોજ નરવણેને અભિનંદન આપ્યા છે. કહ્યું કે તેમને ભરોસો છે કે તે સેનાને આગળ વધારવાનું કામ કરીશું.
લાંબા અનુભવ લઈને આવ્યા નવા સેના પ્રમુખ
એમએમ વરવણેની પાસે સેનામાં કામ કરવાનો ઘણો લાંબો અનુભવ છે. તેઓ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદની વિરુદ્ધમાં અભિયાનનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ડિફેન્સ કોરિડોરમાં એમએમ નરવણેને ચીનના કેસમાં એક્સપર્ટ માનવામાં આવે છે.
આ જગ્યાઓએ સંભાળ્યો છે પદભાર
જનરલ નરવણેનું કમિશન જૂન 1980માં 7મી શીખ લાઈટ ઈન્ફેંટ્રી રેજિમેન્ટ થયું હતું. નરવણે જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ પર કહેર બનીને તૂટનારા રાષ્ટ્રીય રાઈફલ્સની એક ટુકડીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ પૂર્વોત્તરમાં એક ઈન્સ્પેક્ટર જનરલની રીતે આસામ રાઈફલ્સના ઈન્સ્પેક્ટર જનરલ પણ રહ્યા છે. આ સિવાય અંબાલાના ખડગ સ્ટ્રાઈક કોર્પ્સમાં પણ તેઓએ તેમની સેવાઓ આપી છે.