સરકારી ક્ષેત્રની સૌથી મોટી વિમા કંપની LICને ત્રીજા ત્રીમાસિકમાં 8334 કરોડનો ચોખ્ખો નફો થયો છે.
LICમાં લોકોમાં વિશ્વાસ એવોને એવો
કંપનીએ ત્રીજા ત્રીમાસિકના આંકડો કર્યાં જાહેર
કંપનીને થયો 8334 કરોડનો ચોખ્ખો નફો
અદાણી વિવાદમાં LICનું નામ ઢસડાયું છે
ચેરમેન એમ આર કુમારે કહ્યું, અદાણીને મળી રહ્યો છું
જાહેર ક્ષેત્રની વીમા કંપની LICએ નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર પરિણામ જાહેર કર્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એલઆઈસીનો નફો 8334.2 કરોડ રૂપિયા રહ્યો હતો, જે પાછળના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 235 કરોડ રૂપિયાથી 34 ગણો વધારે છે.
ત્રીજા ક્વાર્ટરમાં LICને મળ્યું 1.11 લાખ કરોડનું પ્રીમિયમ
ત્રીજા ક્વાર્ટરમાં એલઆઈસીને 1,11,787.6 કરોડ રૂપિયાનું પ્રીમિયમ મળ્યું હતું, જે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 97,620 કરોડ રૂપિયા હતું. રોકાણથી આવક વધીને 84,889 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે એક વર્ષ પહેલા 76,574.24 કરોડ રૂપિયા હતી.
ચેરમેન એમ આર કુમારે કહ્યું- રોકાણકારો માટે પોર્ટફોલિયો બનાવવો છે
પરિણામો પર ટિપ્પણી કરતા એલઆઇસીના ચેરમેન એમ આર કુમારે જણાવ્યું હતું કે, "અમારું ધ્યાન અમારા હિસ્સેદારો માટે પોર્ટફોલિયો બનાવવા પર છે, જેથી તેમને સારું મૂલ્ય મળી શકે. તેમણે જણાવ્યું હતું કે બજારમાં મોટી વૃદ્ધિના સંકેતો દેખાઈ રહ્યા છે અને અમને અમારો બજાર હિસ્સો જાળવી રાખવાનો અને આગળ વધવાનો વિશ્વાસ છે.
અદાણીના શેર ખરીદીને વિવાદમાં ઘેરાઈ LIC
LIC આજકાલ વિવાદોથી ઘેરાયેલી છે. અદાણી ગ્રુપના શેરમાં રોકાણ કરવા બદલ અદાણી ગ્રુપની ટીકા થઈ રહી છે. 30 જાન્યુઆરી, 2023 ના રોજ, એલઆઈસીએ એક નિવેદન બહાર પાડીને અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ અંગે સ્પષ્ટતા કરી હતી. એલઆઈસીએ કહ્યું હતું કે વર્ષોથી તેણે અદાણી ગ્રુપની કંપનીમાં 30,129 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે, જેની માર્કેટ વેલ્યુ 27 જાન્યુઆરી, 2023 ના બંધ ભાવને આધારે 56,142 કરોડ રૂપિયા છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં શેર અને ડેટ સહિત અદાણી ગ્રુપની કંપનીઓમાં તેના રોકાણનું કુલ મૂલ્ય 35,917.31 કરોડ રૂપિયા છે. અને આજની તારીખમાં એલઆઈસીનું અદાણી ગ્રુપમાં કુલ રોકાણ 36,474.78 કરોડ રૂપિયા છે.
LIC Chairman M R Kumar says, will meet Adani Group's top management soon