બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / lic pmvvy or pm vaya vandana extended senior citizens low interest rate know about scheme
Dharmishtha
Last Updated: 11:03 AM, 26 May 2020
ADVERTISEMENT
આજે એટલે કે મંગળવારે તમે આ સ્કીમ સાથે જોડાઈ શકો છો. સુધારેલી પ્રધાનમંત્રી વય વંદન યોજનામાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં યોજનાના વ્યાજ દર, રોકાણ અને પેન્શનની રકમમાં ફેરફાર થયો છે.
LIC હેઠળ આવનારી આ સ્કીમ અંતર્ગત પેન્શન તરીકે 12 હજાર રુપિયા સુધી રકમ મળી રહી છે. ત્યારે હવે આયોજનાની ડેડલાઈન માર્ચ 2023 કરી દેવામાં આવી છે. આ યોજનાને વિસ્તારથી સમજીએ.
ADVERTISEMENT
પેન્શન સ્કીમ હોવાના કારણે 60 વર્ષની ઉંમર બાદથી આનો લાભ મળી શકે છે. આ યોજના હેઠળ દર વર્ષે 12 હજાર રુપિયાનાં પેન્શન માટે લગભગ 15.66 લાખ રુપિયા અને દર મહિને 1000 રુપિયાના લઘુત્તમ પેન્શન માટે 1.62 લાખ રુપિયાનું રોકાણ કરવું પડશે.
આ બાદ પેન્શન માટે રોકાણકારે એક નિશ્ચિત તારીખ, બેંક અકાઉન્ટ અને સમયની પસંદગી કરવાની રહેશે. દાખલા તરીકે જો તમને દર મહિનાની 15 તારીખે પેન્શન જોઈએ છે તો આ તિથિની પસંદગી કરવી પડશે. આ રીતે રોકાણકાર ઈચ્છે તો પેન્શનના વિકલ્પની પસંદગી કરી શકાય છે.
એટલે કે તમામે માસિક, ત્રણ માસિક, છ માસિક અથવા વર્ષનું પેન્શન જોઈએ તો આ વિકલ્પ પસંદ કરવાના રહેશે. જો તમે માસિક વિકલ્પની પસંદગી કરી છે તો દર મહિને પેન્શન બેંક અકાઉન્ટમાં આવશે. જ્યારે કે ત્રણ માસિકની પસંદગી કરી છે તો ત્રણ મહિના બાદ એક લમસમ અમાઉન્ટની પેન્શન મળશે.
આ રીતે 6 મહિના અથવા 1 વર્ષની પસંદગી કરી છે તો લમસમ પેન્શન મળશે. ઉલ્લેખનીય છે કે સ્કીમમાં રોકાણના 1 વર્ષ બાદ પેન્શન મળે છે.
આ યોજના ચલાવવાનો એક માત્ર અધિકાર એલઆઈસી પાસે છે. આને ઓફલાઈનની સાથે સાથે વેબસાઈટ પરથી ઓનલાઈન પણ ખરીદી શકાય છે. આ યોજનાની મેચ્યોરીટી સમય 10 વર્ષ છે. આ પહેલા 7.40 ટકાનુ નક્કી રિટર્ન આપવામાં આવશે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશે વધુ માહિતી માટે તમે 022-67819281 અથવા 022-67819290 નંબર પર કોલ કરી શકે છે.
આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-227-717 અને ઈ મેઈલ આઈડી [email protected]ના માધ્યમથી સ્કીમના ફાયદા સમજી શકાય છે. https://licindia.in/Products/Pradhan-Mantri-Jan-Dhan-Yojana વેબસાઈટ પર વિઝિટ કરી તમામ માહિતી મેળવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.