LIC ટૂંક સમયમાં તેના લગભગ બે ડઝન જેટલી યોજના બંધ કરવા જઈ રહી છે. જેમાં LIC ન્યૂ જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે. રિપોર્ટની માનીએ તો ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી બોડીની ગાઈડલાઈનનું પાલન કરવા આ નિર્ણય લેવાયો છે. જેથી એલઆઈસીના ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને ફ્રોડથી બચાવી શકાય.
એલઆઈસીના ગ્રાહકો માટે કામના સમાચાર
આ ઈન્શ્યોરન્સ પ્લાન થઈ જશે બંધ
આ કારણથી બોર્ડે લીધો નિર્ણય
શક્ય છે કે આ નવી યોજનાઓ પર રિટર્ન ઓછું મળશે અને તેનું પ્રીમિયમ પણ વધી શકે છે. આ કારણોસર, એલઆઈસીના એજન્ટો ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં આ યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.
કઈ યોજનાઓ થઈ રહી છે બંધ?
રેગ્યુલેટરી બોડી ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને વધુ સારી બનાવવા માંગે છે. આ સાથે, ગ્રાહકોને લાલચ આપીને ખોટી રીતે પોલિસી વેચવા પર લગામ લાગી શકે છે. એલઆઈસી જે યોજનાઓ બંધ કરી રહી છે તેમાં નોન લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, યૂનિટ લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, એક રાઈડર પ્લાન અને ત્રણ નોન લિંક્ડ ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્લાન સામેલ છે.