જીવન વીમા નિગમ(એલઆઈસી)એ એક નવી યોજના રજૂ કરી છે. જાણો શું છે યોજના અને કયા કયા છે ફાયદા.
એલઆઈસીએ એક નવી યોજના રજૂ કરી
પોલીસીધારકોને સંરક્ષણની સાથે બચતનો પણ વિકલ્પ મળશે
90 દિવસના બાળકોથી લઈને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોલીસી લઈ શકે
એલઆઈસીએ એક નવી યોજના રજૂ કરી
જીવન વીમા નિગમ(એલઆઈસી)એ એક નવી યોજના રજૂ કરી છે. એક તરફ Non-associated,Non-participation, વ્યક્તિગત બચત યોજના છે. જેમાં પોલીસીધારકોને સંરક્ષણની સાથે બચતનો પણ વિકલ્પ મળશે.
યોજનાનું નામ વીમા જ્યોતિ છે
આ યોજનાના નામ ‘વીમા જ્યોતિ’ છે. આ યોજના હેછળ પરિપક્વતા પર સંપુર્ણ ચૂકવણી મળશે, સાથે પોલીસીધારકના અસમય નિધન પર તેના પરિવારજનોને નાણા સમર્થન પણ મળશે.
આટલા પૈસા દર વર્ષે જોડાશે
પ્રત્યેક પોલીસી વર્ષના અંતમાં મૂળ વીમા રાશિ પર પ્રતિ હજાર રુપિયા પર 50 રુપિયા વધારાના જોડાશે. એલઆઈસીએ કહ્યું કે આમાં ન્યૂનતમ મૂળ નિશ્વિત વીમા રાશી એક લાખ રુપિયા રહેશે. આનાથી કોઈ ઉપરની સીમા નથી.
કોણ લઈ શકે છે પોલીસી
એલઆઈસીએ જણાવ્યું કે આ પોલીસી 15થી 20 વર્ષ માટે લઈ શકાય છે. 90 દિવસના બાળકોથી લઈને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોલીસી લઈ શકે છે.
તમારી જૂની LICની પોલિસી કોઈ કારણથી બંધ થઈ ગઈ છે તો ...
ઉલ્લેખનીય છે કે જેમની LICની પોલિસી કોઈ કારણથી બંધ થઈ ગઈ છે અથવા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો તેને ફરી શરૂ કરવા કંપની તરફથી સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન 7 જાન્યુઆરીથી શરૂ થઇ ગયો છે અને 6 માર્ચ 2021 સુધી ચાલશે. આ કેમ્પેનમાં કંપનીના ગ્રાહકોને પોલિસી ફરીથી શરૂ કરવાનો મોકો આપી રહી છે. જોકે, એ માટે કેટલાક નિયમો અને શરતો પણ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ કેમ્પેનનો ફાયદો એ ગ્રાહકોને મળશે કે જે લોકો કોઇ કારણોસર પોતાની પોલિસીનું પ્રીમિયમ નથી ભરી શક્યા. જોકે એ માટે પ્રીમિયમ ન ભરવાની તારીખ 5 વર્ષથી વધારે જૂની ના હોવી જોઇએ. આ સિવાય પોલિસી રિવાઇવલ માટે તમને લેટ ફી ચાર્જિસમાં પણ છૂટનો ફાયદો મળશે.