લાઈફ ઈંશ્યોરેંસ કોર્પોરેશન ઓફ ઈંડિયાના IPO પર મોટી અપડેટ આવી છે. નાણામંત્રાલયે સરકારી બેંકના મુખ્ય કર્મચારીઓ સાથે જોડાયેલ એક આદેશ જાહેર કર્યો છે.
LIC ના IPO પર મોટી અપડેટ આવી
નાણામંત્રાલયે બેંકોને આપ્યા મોટા આદેશ
15 મે સુધી બેંકો આ કામ કરી શકશે નહીં
લાઈફ ઈંશ્યોરેંસ કોર્પોરેશન ઓફ ઈંડિયાના IPO પર મોટી અપડેટ આવી છે. નાણામંત્રાલયે સરકારી બેંકના મુખ્ય કર્મચારીઓ સાથે જોડાયેલ એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, LIC IPO સાથે જોડાયેલ બેંકો 15 મે સુધી ટ્રાંસફર નહીં આપે.
સામાન્ય રોકાણકારો માટે કાલે ખુલશે IPO
નાણામંત્રાલય અંતર્ગત કામ કરતી નાણાકીય બાબતોના ડિપાર્ટમેંટ તરફથી સરકારી બેંકોના મુખ્ય નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, એલઆઈસી દેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટા આઈપીઓ છે. એન્ટર રોકાણકારો માટે તે 2 મેના રોજ ખુલ્યું હતું. 4 મે 2022ના રોજ તે સામાન્ય રોકાણકારો માટે ખુલશે અને 9 મેના રોજ બંધ થશે.
એન્કર રોકાણકારોને મળ્યા જબરદસ્ત રિસ્પોંસ
સરકાર તરફથી LICના IPOના પ્રાઈસ બેંડ 902થી 949 રૂપિયા પ્રત્યેક શેર નક્કી કરવામાં આવ્યા છે. એક લોટમાં 15 શેર હશે, તેની પહેલા 2 મેના રોજ એલઆઈસીના આઈપીઓના એન્કર રોકાણકારો તરફથી જબરદસ્ત રિસ્પોંસ મળ્યો છે. એન્કર રોકાણકારોથી 5620 કરોડ રૂપિયાનું પૂર્ણ અભિદાન મળ્યું છે.
21 હજાર કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ
એંકર રોકાણકારો માટે 5620 કરોડ રૂપિયાના શેર રિઝર્વ હતા. આ સેગમેંટમાં આ ફુલી સબ્સક્રાઈબ થઈ ગયું છે. હવે આ આઈપીઓ બુધવારે અન્ય રોકાણકારો માટે ખુલશે. સરાકર આ આઈપીઓથી 21 હજાર કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આઈપીઓ અંતર્ગત સરકાર એલઆઈસીના 22,13,74,920 શેરનું વેચાણ કરી રહ્યું છે.