કોરોના વાયરસની મહામારી વિરુદ્ઘની લડતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર કૉરપોરેટ જગતે પોતાનો ખજાનો ખોલી દીધો છે. પીએમ રિલીફ ફંડમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) 105 કરોડ રૂપિયા આપ્યા છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ કોરોનાના સામેની લડત માટે 10 કરોડ રૂપિયાનું દાન કરવાનું વચન આપ્યુ છે, જોકે તે પીએમ રિલીફ ફંડમાં ડોનેટ નહી થાય.
કોરોનાથી રાહત કાર્યોમાં મદદ કરવા માટે એનઆર નારાયણમૂર્તિ અને તેમના પરિવારે પોતાના પર્સનલ ફંડમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનને 10 કરોડ રૂપિયાનું વચન આપ્યુ છે. આ ફંડમાં એકવા પ્રવાસી મજૂરો અને દિહાડી મજૂરોને ભોજન આપશે અને જરૂરી સામાન પૂરો પાડશે, જેઓ પોતાની રોજગારી ગુમાવી ચૂક્યા છે અને ખૂબ જ સંકટમાં છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રવાસી મજૂરો અને રોજ કમાઇને જીવિકા ચલાવવા માટે ભોજનન અને જરૂરી સામાન પૂરો પાડી રહ્યા છે. મૂર્તિ પરિવારની મદદથી લોકડાઉનમાં ફસાયેલા ગરીબોને 55 લાખ પેકેટથી વધારે ભોજન આપવામાં આવી રહ્યુ છે. આ મદદ બેંગ્લોર, દિલ્હી, પૂણે, મથૂરા અને હૈદરાબાદ જેવા શહેરોમાં કરવામાં આવી રહી છે.
LIC એ આપ્યા 105 કરોડ
ભારતીય જીવન વીમા નિગમ (LIC) કોરોના વાયરસની મહામારીથી પહોંચવા માટે પીએમ રિલીફ ફંડમાં 105 કરોડ રૂપિયા દાન કર્યા છે. LIC ના ચેરમેન કહ્યુ કે, ભારત આ મહામારીનો સામનો કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે, તેના એસેટ બેસ લગભગ 31 લાખ કરોડ રૂપિયા છે.