સુપ્રીમ કોર્ટે કલમ 377ને દૂર કરતા જ LGBT સમુદાયને આઝાદી મળી ગઈ છે ત્યારે રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહેલે લેસ્બિયન લોકો માટે LGBT રિસોર્સ સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે. હાલ હનુમંતેશ્વર ગામે ત્રણ રૂમના કોટેજને ગે ઓલ્ડએજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે.
LGBT સેન્ટર:
પરંતુ આગામી દિવસોમાં અહીં LGBT સેન્ટર બનાવવામાં આવશે. અંદાજીત 15 એકર જમીનમાં આ સેન્ટર તૈયાર કરવામાં આવશે જે વિવિધ સુવિધાઓથી ભરપુર હશે. LGBT સેન્ટરમાં મેડિકલ અને લાઈબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ હશે.
આ સેન્ટર આગામી 19 જુન સુધીમાં તૈયાર થઈ જશે. એટલું જ નહીં પરંતુ અહીં રહેવા માગતા લેસ્બિયન લોકો માટે એક વેબસાઈટ પણ શરૂ કરાઈ છે. જેના પર લોકો પોતાની નોંધણી કરાવી શકે છે.
નોંધનીય છે કે સજાતીય સંબંધોને ગુનો માનવાની માંગ કરનારી અરજીનો વિરોધ કરી રહેલા પક્ષકારોએ આગ્રહ કર્યો છે કે કલમ 377નું ભવિષ્ય સંસદ પર છોડવામાં આવે. તેમનો પક્ષ છે કે સજાતીય શારીરિક સંબંધોને ગુનાની શ્રેણીથી બહાર કરીને અન્ય કાયદા પર પ્રતિકુળ અસર પડશે જેમાં પર્સનલ લો અને એડ્સ જેવી ગંભીર બિમારીઓ ફેલાવવાનો ભય છે.
2009માં દિલ્હી હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં તેને ગુનાની કેટેગરીમાંથી બહાર કર્યો હતો. પણ પછી સુપ્રીમ કોર્ટે ફરી ગુનો માન્યો હતો. આ વખતે સુપ્રીમ કોર્ટમાં તે 2013ના નિર્ણય પર સુનાવણી થઇ હતી.
કલમ 377 માં શું કરાયો છે ઉલ્લેખ:
બંધારણની કલમ 377 મુજબ અપ્રાકૃતિક શારીરિક સંબંધ સહમતી અને સહમતી વગર પુરુષ-પુરુષ વચ્ચે હોય કે મહિલા-મહિલા વચ્ચે સંબંધ હોય કે પ્રાણી સાથે હોય તે તમામ ગુનાહિત છે.
સજાની પણ કરાઇ છે જોગવાઇ:
આ સાથે જ IPCની કલમ 377ના મુજબ કોઇ પુરુષ સ્ત્રી અને પશુઓ પ્રકૃતિની વિરુદ્ઘમાં સંબંધ બનાવે છે તો તે અપરાધ હશે. આ અપરાધના માટે આજીવન કેદ અથવા તો 10 વર્ષ સુધીની કડક સજાની સાથે આર્થિક દંડ પણ ભોગવવો પડશે જેના હેઠળ ઘરપકડમાં કોઇ પ્રકારની વોરન્ટ જરૂર નથી હોતી આ ગુનો બિનજામીનપાત્ર ગણાય છે.