અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કરી તેને લેવલ 4થી લેવલ 3 કેટેગરીમાં અપગ્રેડ કર્યુ છે.
અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં અપગ્રેડ કરી
ભારતને લેવલ 4થી લેવલ 3 કેટેગરીમાં અપગ્રેડ કર્યુ
પ્રવાસ પહેલા સીડીસીની ભલામણોને જરુરી વાંચો
અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં અપગ્રેડ કરી
કોરોનાના કહેરની વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કર્યો છે. આને લેવલ 4થી લેવલ 3 કેટેગરી સુધી અપગ્રેડ કર્યુ છે. લેવલ 3 અંતર્ગત લોકોને પ્રવાસ પર પુનવિચાર કરવા કહેવામાં આવે છે. જ્યારે લેવલ 4નો મતલબ છે કે પ્રવાસ ક્યારેય નથી કરવાનો.
પ્રવાસ પહેલા સીડીસીની ભલામણોને જરુરી વાંચો
સીડીસી દ્વારા કોવિડ 19ના કારણે ભારત માટે લેવલ 3 ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કર્યા બાદ વિદેશ વિભાગની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એફડીએ દ્વારા ઓથરાઈઝ રસી લગાવી ચૂક્યા છો તો તમારામાં કોરોનાના લક્ષણો વિકસિત થવાની શક્યતા ઓછી છે. પરંતુ પ્રવાસ પહેલા સીડીસીની ભલામણોને જરુરી વાંચો.
અમેરિકાએ ભારત માટે એક લેવલ 4 ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી હતી
સીડીસીની ભલામણ છે કે લોકોને તે જગ્યાના પ્રવાસ પર પુનવિચાર કરે જ્યાં લેવલ 3માં કેટેગરાઈઝ કરવામાં આવ્યા છે અને આ લોકો ત્યાં પ્રવાસ કરે છે તો તે સુનિશ્ચિત કરી લે કે તેમને રસી લાગી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી તો અમેરિકાએ ભારત માટે એક લેવલ 4 ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી હતી.
હાલ શું છે ભારતની સ્થિતિ
ભારતમાં કોરોનાની સ્થિતિ પર વાત કરીએ તો કોરોનાની ત્રીજી લહેરની આહટની વચ્ચે કોરોનાના નવા મામલા ઘટ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ સોમવારે દેશભરમાં કોરોનાના 38 હજાર 164 નવા મામલા દાખલ કર્યા છે. ત્યારે આ દરમિયાન 38 હજાર 660 કોરોના દર્દી સાજા થયા છે. રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા લોકોનો દર સતત 97 ટકાને પાર છે. આ પહેલા રવિવારે કોરોનાના નવા મામલા 40 હજારને પાર હતા. જેનાથી એકવાર ફરી ચિંતા વધી હતી. દેશમાં અત્યારે કોરોનાથી 3 કરોડ 8 લાખ 456 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાથી ગત 24 કલાકમાં 499 લોકોના જીવ ગયા છે.