ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ પણ આ બેઠકમાં આપશે હાજરી
આજે રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પૂર્વ મંત્રી અને લેઉવા સમાજના પ્રમુખ જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને મળવા જઈ રહી છે. બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજરી આપશે.
બેઠકમાં ક્યા મુદ્દાઓને લઇ ચર્ચા થશે તેના ઉપર સૌની નજર
આપને જણાવી દઈયે કે, જયેશ રાદડિયા પર ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ મુકાવામાં આવ્યા છે ત્યારે આ બેઠકમાં ચર્ચાનો વિષય શુ રહેશે તેની ઉપર સૌની નજર છે.મહત્વનું છે કે, સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદ ને લઇને નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબ જ મહત્વ ની ગણાય છે.