ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદાર સમાજ એક મંચ પર આવશે, વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદારોની એક મંચ પર યોજાશે બેઠક
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર
વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બની રહ્યો છે. સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે બાદ ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થશે. 12 જૂનના દિવસે યોજાનારી આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.
બેઠકમાં ઉપસ્થિત રહેનાર આગેવાન
1. નરેશ પટેલ
2. મથુર સવાણી, સુરત
3. લવજી બાદશાહ, સુરત
4. જયરામ પટેલ, સીદસર મંદિર
5. દિલીપ નેતા , ઊંઝા મંદિર
6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
8. આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
9. ગગજી સુતરીયા, સરદાર ધામ
10. દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી