આણંદઃ અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે ફરી એકવાર અમૂલના વાઈસ ચેરમેને ચેરમેનને પત્ર લખ્યો છે. વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે ચેરમેન રામસિંહ પરમારને પત્ર લખ્યો છે.
પત્રમાં રાજેન્દ્રસિંહ પરમારે આક્ષેપો કર્યા છે કે સંઘના ડિરેક્ટર દ્વારા ભરતી પ્રક્રિયા રોજમદારોના પગાર રિટાયર્ડમેન્ટ પ્લાન્ટ્સ ટેન્ડર વગેરેમાં 200 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. 87 લાખના ઉચ્ચ પગારે રવિશંકર નામના વ્યક્તિની સીઈઓ તરીકે સીધી ભરતી પણ કરવામાં આવી છે.
મેનેજીંગ ડિરેક્ટર દ્વારા ફક્ત પોતાના લાગતા વળગતાઓને જ ટેન્ડર મળે એવી શરતો મૂકવામાં આવે છે. સંઘ દ્વારા કોન્ટ્રાક્ટરો કામદારોને ચૂકવવાનો પૂરેપૂરો પગાર પીએફ અને બોનસ ચૂકવાતા નથી.