ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યામાં પ્રસ્થાપિત રામ મંદિરનાં નિર્માણ માટે બનાવાયેલાં ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને આ વિસ્તારના 9 મુસ્લિમ લોકોએ પત્ર લખ્યો છે. તેમણે અપીલ કરી છે કે મુસ્લિમોની કબર નવું રામ મંદિર ન બનાવો.
બાબરી મસ્જિદની આસપાસ 1480 ચોરસ મીટરના ક્ષેત્રમાં નવું રામ મંદિર ન બનાવો
પત્રમાં કહેવાયું છે કે બાબરી મસ્જિદની આસપાસ 1480 ચોરસ મીટરના ક્ષેત્રમાં નવું રામ મંદિર ન બનાવો. એવું કહેવાય છે કે સરકાર દ્વારા 67 એકર જમીન રામ મંદિર માટે ઉપયોગમાં લેવી તે મુસ્લિમોના દાવાને સંપૂર્ણ રીતે છીનવી લેવો અને કાયદાથી પણ વિપરીત છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર પત્રમાં કહેવાયું છે કે આજે ભલે તે સ્થળે કબર ન દેખાતી હોય, પરંતુ ત્યાંની ચારથી પાંચ એકર જમીન પર મુસ્લિમોની કબર હતી. આવામાં ત્યાં મંદિરનું નિર્માણ કેવી રીતે કરી શકાય? નવ મુસ્લિમ નાગરિકોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 1993માં અયોધ્યામાં અધિગ્રહિત કરાયેલી 67 એકર જમીન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે રામમંદિર નિર્માણ માટે આપી દીધી છે.
આ જમીન પર મુસ્લિમોની કબર હતી. કેન્દ્ર સરકારે તેની પર વિચાર જ ન કર્યો કે મુસ્લિમોની કબર પર ભવ્ય રામ મંદિર ન બની શકે. આ ધર્મની વિરુદ્ધ છે. પત્રમાં કહેવાયું છે કે તમે બધા સમાજના જાગૃત લોકો છો. તમને સનાતન ધર્મની જાણકારી છે. તમારે એ મુદ્દે વિચાર જરૂર કરવો જોઇએ કે શું રામ મંદિરનું નિર્માણ મુસ્લિમોની કબર પર થઇ શકે? તેનો ફેંસલો ટ્રસ્ટના મેનેજમેન્ટે કરવો પડશે.
રિપોર્ટ મુજબ પત્રમાં ઐતિહાસિક તથ્યો જણાવીને કહેવાયું છે કે વર્ષ 1855નાં રમખાણોમાં 75 મુસ્લિમો માર્યા ગયા હતા. આ તમામને અહીં દફનાવાયા હતા. 1949થી 1992 સુધી આ જગ્યાનો ઉપયોગ અન્ય પ્રકારે થતો હતો. શું હવે ભગવાન રામના મંદિરનો પાયો કબ્રસ્તાન પર રાખી શકાય?
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 2020 દરમિયાનના વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં અધિગ્રહિત 67 એકર જમીન રામ મંદિર ટ્રસ્ટને અપાઇ છે. વડા પ્રધાને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા પર સંમતિ સધાઇ છે. વડા પ્રધાને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરના પક્ષમાં હતો તેને સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા પણ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર મોટા નિર્ણય લેવાયા છે.