ગુજરાતના સ્થાપના દિને પૂર્વ મુખ્યમંત્રી અને NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને ખુલ્લો પત્ર લખ્યો છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપની સરકારમાં પ્રજા ત્રસ્ત છે અને ભયથી ધ્રુજે છે.
ભાજપ સરકારમાં દેશ કરતા પક્ષને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 25 વર્ષમાં ભાજપના નેતાઓ રક્ષકના બદલે ભક્ષક બન્યા છે. બાપુએ કહ્યું કે ભાજપના શાષકોએ ગુજરાતને ગરવીને બદલે વરવી બનાવી દીધું છે અને ગુજરાતને ભાજપના ભ્રષ્ટ શાષકોથી મુક્ત કરાવવા માટે ઝઝુમીશું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિને શંકરસિંહ વાઘેલાએ રાજ્યની રૂપાણી સરકારને ખુલ્લો પત્ર લખીને કેટલાક આક્ષેપો કર્યા હતા. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ભાજપની સરકારમાં પ્રજા ત્રસ્ત, ભયથી ધ્રુજે છે. સરકારમાં દેશ કરતા પક્ષને વધારે મહત્વ આપવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે શંકરસિંહ વાઘેલાએ છોડો ફાડ્યો હતો અને ત્યારબાદ NCP માં જોડાયા હતા. ત્યારે આજરોજ ગુજરાતના સ્થાપના દિવસ રાજ્ય સરકારને એક ખુલ્લો પત્ર લખીને ખરીખોટી સંભળાવી હતી.