હાર્દિક પટેલે ઉપવાસ આંદોલનને લઈને સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્ર લખીને હાર્દિકે ઉપવાસ સ્થળ માટે મંજુરી આપવા સીએમ વિજય રૂપાણીને વિનંતી કરી છે.
હાર્દિકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તંત્ર અને પોલીસને ઉપવાસ સ્થળની મંજૂરી માટે સૂચન કરે. શાસન વ્યવસ્થા સામે આંદોલન કરવાનો સૌને હક છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો સૌને અધિકાર છે. જેથી બંધારણીય રીતે અમે અમારી લડાઈ ચાલુ રાખીશું.
તંત્રને ઉપવાસ આંદોલન માટે જગ્યા ફાળવવા માટે મંજુરી માગવામાં આવી હતી. તેમ છતા હજુ સુધી જગ્યા ન ફાળવાતા હાર્દિકે પત્ર લખીને વિનંતી કરી છે.
એટલું જ નહીં પણ પત્રમાં ખેડૂતોને અન્યાય અને પાટીદાર સમાજનો પણ હાર્દિકે ઉલ્લેખ કર્યો છે. 2012માં રામલીલા બનાવ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.