રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મોટી જીત અપાવી
રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મોટી જીત અપાવી હતી. ટી-20 વર્લ્ડ કપની મેચમાં તેણે સ્કોટલેન્ડ સામે ત્રણ વિકેટ ઝડપી હતી. અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ મેચમાં સ્કોટલેન્ડની ટીમ માત્ર 85 રન જ બનાવી શકી હતી.ટીમે 6.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.જો કે,ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું હજુ આસાન નથી.આ બાબતે પૂછાયેલા સવાલ પર જાડેજાએ પત્રકારને મજાકિયા જવાબ આપ્યો હતો.
અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે તો જ ભારતની સેમીફાઈનલમાં જવાની તક બનશે
મેચ બાદ રવિન્દ્ર જાડેજાને એક પત્રકારે પૂછ્યું હતું કે, અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે ત્યારે જ ભારતની સેમીફાઈનલમાં જવાની તક બનશે. પણ જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી શકતી નથી તો ? જાડેજાએ આને કહ્યું, તો પછી અમે અમારી બેગ પેક કરીને ઘરે જઈશું અને શું ટીમ ઈન્ડિયાના સેમીફાઈનલનો રસ્તો ત્યારે જ ખુવશે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 7 નવેમ્બરે ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ થશે.
રવિન્દ્ર જાડેજાએ T20માં શાનદાર પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બીજી વખત એક ઈનિગ્સમાં 3 વિકેટ લીધી છે. તેની ઓવરઓલ ટી-20 કારકિર્દી પર નજક કરીએ તો તેણે 272 મેચમાં 181 વિકેટ ઝડપી છે. 3 વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટ લેવાનું શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 56 ટેસ્ટમાં 227 અને 168 વનડેમાં 188 વિકેટ ઝડપી છે. તેણે ટેસ્ટમાં 2100થી વધુ અને વનડેમાં 2400થી વધુ રન બનાવ્યા છે. તેઓ IPL 2021નું ટાઈટલ વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો અને ત્યાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે.
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે. તે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારી ગયો હતો. આ પછી ટીમ અફઘાનિસ્તાન સામે 200થી વધુ રન બનાવ્યા હતાં. અને મેચ જીતી લીધી હતી. ભારત સિવાય બીજી કોઈ ટીમ વર્લ્ડ કપમાં 200 રનનો આંકડો સ્પર્શી શકી નથી. હવે ટીમ સ્કોટલેન્ડને હરાવ્યું. ટીમને 8 નવેમ્બરે છેલ્લી મેચમાં નામિબિયાનો સામનો કરવો પડશે