સુરેન્દ્રનગર જીલ્લાના પવિત્ર તીર્થધામ ચોટીલા મંદિરમાં પણ પ્રવેશ પૂર્વે વેક્સીન લેવાઈ હશે તે જ ભાવિકને પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે. દર્શાવવું પડશે પ્રમાણપત્ર
ચોટીલા ડૂંગર ટ્રસ્ટનો નિર્ણય
વેક્સીન સર્ટીફીકેટ દર્શાવ્યા બાદ જ પ્રવેશ
ભાવિકોએ દર્શાવવું પડશે વેક્સીન સર્ટીફીકેટ
રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા વેગવાન બની છે.શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશભરમાં કોરોના રસીકરણના તમામ રેકર્ડસ તૂટી ગયા. માત્ર એક જ દિવસમાં 2.50 કરોડ નાગરિકોએ રસી ગ્રહણ કરી હતી. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યમાં 22 લાખથી વધારે નાગરિકોનું રસીકરણ થયું હતું. હવે જ્યારે સાર્વજનિક એવી દરેક જગ્યાએ રસીકરણનું સર્ટીફીકેટ જરૂરી બન્યું છે.ત્યારે, સુરેન્દ્રનગર જીલ્લાના પવિત્ર તીર્થધામ ચોટીલા મંદિરમાં પણ પ્રવેશ પૂર્વે વેક્સીન લેવાઈ હશે તે જ ભાવિકને પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે.
ટ્રસ્ટનો નિર્ણય
સુરેન્દ્રનગર જિલાના ઐતિહાસિક એવા ચોટીલા ડૂંગર પર આવેલા મંદિરમાં પ્રવેશ મુદ્દે ચોટીલા ડૂંગર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. આ માટે મંદિરમાં પ્રવેશનાર દર્શનાર્થી પાસે વેક્સીનેશનનું પ્રમાણ પત્ર હોવું જરૂરી છે.અન્યથા,એવા શ્રદ્ધાળુઓ જેમની પાસે સર્ટીફીકેટ નથી તેઓને પ્રવેશ નહિ મળે. યાદ રહે કે, જન્માષ્ટમીનાં તહેવારોની રજાઓમાં ચોટીલામાં ડૂંગર પર ભારે ભીડ જામી હતી અને શ્ર્ધાળુઓ મંદિરમાં પહોચવા પગથિયાના બદલે ડૂંગર ચઢીને પહોચવા લાગ્યા હતા.
AMCનો નિર્ણય પણ આવો જ
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી સંભવત; લહેર પૂર્વે ઝડપથી વેક્સીનેશનની કામગીરી પૂર્ણ કરવમાં આવે તેવા કેન્દ્ર સરકાર સહીત તમામ રાજ્યની સરકારોના પ્રયાસ છે. ગુજરાતમાં પણ વેક્સીનેશની કામગીરી ઉતરોતર ઝડપી બની છે.આ વચ્ચે, શ્રાદ્ધના દિવસો પૂર્ણ થતા જ શરુ થનારા નવરાત્રી શરુ થાય છે.ત્યારે, અમદાવાદ મહાનગર પાલિકાએ AMTS,BRTS,રીવર ફ્રન્ટ,કાંકરિયા જેવી જગ્યાઓ પર વેકસીનના ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે તેવી જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં રાત્રી વેક્સીનની કામગીરી પર પણ જિલ્લા સમાહર્તા કામ કરી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી વેક્સીન
સુરેન્દ્ર નગર જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં પણ હવે વેક્સીન સર્ટીફીકેટ વગર પ્રવેશ નહિ અપાય તેવી જાહેરાત કરતા ચોટીલા મંદિરના મહંત અમૃતગીરીબાપુએ કરી છે. મહંતે ભાવિકોને એવી પણ અપીલ કરી છેકે, શ્રદ્ધાળુંઓ વહેલામાં વહેલી તકે વેક્સીન લઇ લે.સાથોસાથ અહીં મંદિરમાં દર્શનાર્થે આવો ત્યારે તમારી પાસે વેક્સીનનું સર્ટીફીકેટ સાથે રાખવું પડશે અને એ દર્શાવ્યા બાદ જ તમોને દર્શન માટે પ્રવેશ મળી શકશે. આ સાથે કેન્દ્ર/ગુજરાત સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન પણ આવશ્યક રહેશે. જેમાં સામાજિક અંતર, માસ્ક,હેન્ડ સેનેટાઈઝર અંગે પણ દર્શનાર્થીઓએ કાળજી દાખવવી પડશે.
અન્ય દેવસ્થાનોમાં આવી શકે નિયમ
ચોટીલા ડૂંગર ટ્રસ્ટના આ નિર્ણય પછી હવે રાજ્યના પવિત્ર તીર્થધામ/યાત્રાધામ પર પણ આ નિર્ણયની સકારાત્મક અસર પડે તો નવાઈ જેવું નહિ રહે