ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતના પરાજય પર પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
સચિન તેડુંલકર આવ્યો ટીમ ઈન્ડીયાના ખેલાડીઓના બચાવમાં
કહ્યું- એક મેચને આધારે ટીમનું આકલન ન થાય
ભારત નંબર વન ટી20 ટીમ
ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પરાજય બાદ ભારતીય ખેલાડીઓ પર ચોમેરથી માછલા ધોવાઈ રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર પણ ટીમ ઈન્ડીયાના સપોર્ટમાં આવ્યો છે. તેડુંલકરે કહ્યું કે આપણે સ્વીકારવું પડશે કે આપણે સેમિફાઇનલમાં સારો સ્કોર બનાવી શક્યા નથી. બોલિંગ પણ ઘણી નિરાશાજનક રહી. પરંતુ આપણે એકલા આ મેચના આધારે ટીમનું મૂલ્યાંકન ન કરવું જોઈએ, આપણે નંબર 1 T20 ટીમ છીએ જે લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરીને બન્યા છીએ.
#WATCH | I know that the Semi Finals against England was very disappointing. Let's accept that we did not put up a good total on the board. It was a tough game for us, a bad and disappointing defeat. We have been World number 1 T-20 side as well: Cricketer Sachin Tendulkar to ANI pic.twitter.com/zjT3SjwZ8l
રમતમાં તો હાર-જીત થતી રહે- તેડુંલકર
તેડુંલકરે કહ્યું કે નંબર વનનું સ્થાન કંઈ રાતોરાત મળતું નથી. આપણે બધાએ એક મેચને આધારે ટીમનું મૂલ્યાકન ન કરવું જોઈએ. ખેલાડીઓ કંઈ નિષ્ફળ જવા માટે મેદાનમાં નથી ઉતરતા. રમતમાં તો ઉતાર-ચડાવ આવ્યાં કરે. આવી સ્થિતિમાં આપણે ટીમ ઈન્ડીયાની પડખે રહેવું જોઈએ.
हमें स्वीकार करना चाहिए कि हम सेमीफाइनल में अच्छा स्कोर खड़ा नहीं कर पाए। गेंदबाजी भी बेहद निराशाजनक रही। लेकिन सिर्फ इस मैच के आधार पर हमें टीम का आकलन नहीं करना चाहिए, हम नंबर-1 टी-20 टीम हैं जो हम लंबे समय तक अच्छा प्रदर्शन करने के बाद बन पाए हैं: पूर्व क्रिकेटर सचिन तेंदुलकर pic.twitter.com/eLTz29GjWu
ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતનો પરાજય
સેમિફાઇનલમાં ભારતને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર એવી છે કે ભારતીય ટીમ લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. સેમીફાઈનલમાં ભારતીય બોલરોની ખરાબ હાલત જોઈને ફેન્સ નીરાશ થયા છે. ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાનું પણ દિલ તૂટી ગયું છે.