બિહારમાં હવે જેડીયુ-આરજેડી-કોંગ્રેસની મહાગઠબંધન સરકારની રચના થવા જઈ રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમારે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે 160 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર સીધા રાબડીદેવી આવાસ પહોંચ્યાં હતા અને ત્યાં તેઓ લાલુના પરિવારને મળ્યાં હતા.
2017માં જે બન્યું હતું તે ભૂલી જઈએ-નીતિશે તેજસ્વી યાદવને કહ્યું
બેઠકમાં નીતિશે તેજસ્વી યાદવ સાથે સરકાર રચવાની ચર્ચા કરી હતી. તેમણે તેજસ્વી યાદવને એવું પણ કહ્યું કે આપણે 2017માં જે બન્યું હતું તે ભૂલી જઈને હવે નવેસરથી શરુ કરવું જોઈએ.
Bihar | Nitish Kumar along with RJD leader Tejashwi Yadav & Rabri Devi, today pic.twitter.com/EF3ZCydO1H
શું બન્યું હતું 2017માં
ઉલ્લેખનીય છે કે 2017માં બિહારમાં જેડીયુ-આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધનની સરકાર હતી પરંતુ તે વખતના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યાં હતા જેને પરિણામે નીતિશ કુમારે તેમની સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે મળીને સરકારની રચના કરી હતી. પરંતુ હવે તેનાથી ઉલટું બન્યું છે. હવે નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને ફરી મહાગઠબંધનની સરકારની રચના કરી છે.
60 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર રચવાનો કર્યો દાવો
નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલને મળ્યાં હતા અને રાજીનામું સોંપ્યું હતું. રાજ્યપાલ ફાગુ ચોહાણને રાજીનામું સોંપ્યા બાદ સીએેમ નીતિશ કુમારે 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને તેમને સરકારની રચના કરવાનું આમંત્રણ આપ્યું હતું.