કોરોનાની વધતી મહામારી વચ્ચે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આનાથી છુટકારો મેળવવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવી જોઇએ.
સુબ્રમણ્યમ સ્વામીએ આપી વડાપ્રધાનને સલાહ
આ મંત્રીને કોરોનાની જવાબદારી સોંપવી જોઇએ
ઓક્સિજન સપ્લાય વિશેની જાણકારી આપો
India will survive Coronavirus Pandemic as it did Islamic invaders and British Imperialists. We could face one more wave that targets children unless strict precautions now are taken. Modi should therefore delegate the conduct of this war to Gadkari. Relying on PMO is useless
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભારતમાં એક વધુ કોરોનાની લહેર આવી શકે છે જેમાં બાળકો વધુ ખતરામાં રહેશે. આવામાં જરૂરી પગલા લેવા પડશે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું કે કોરોનાની સંપૂર્ણ લડાઇની જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ નીતિન ગડકરીને આપી દેવી જોઇએ. પીએમઓ પર માત્ર નિર્ભર રહેવાથી કામ નહી ચાલે. કોરોનાના વધતા કેસ બાદ જે પરિસ્થિતિ છે તેનાથી બચવા માટે વિપક્ષ પણ આલોચના કરી રહ્યું છે.
PMનો મોટો નિર્ણય
100 દિવસની કોવિડ ડ્યુટી કરનાર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તથા પેરા મેડિકલ કર્મચારીઓને પ્રધાનમંત્રી કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન પણ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયો
- NEET-PG ની પરીક્ષાને ચાર મહિના મોકૂફ રાખવાની કરાઈ જાહેરાત
- MBBS વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટીમાં લગાડાશે
- મેડિકલ ઈન્ટર્સને પણ કોવિડ મેનેજમેન્ટની ડ્યુટીમાં તહેનાત કરાશે
કેન્દ્ર સરકારના નિર્ણયોની આ અસર પડશે
- સિનિયર ડોક્ટરોનું ભારણ હળવું થશે
- કોરોનાના દર્દીઓની સારી રીતે દેખરેખ થઈ શકશે
- 100 દિવસની કોવિડ ડ્યુટી કરનાર ડોક્ટરોનું ખાસ સન્માન
કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે હોસ્પિટલોમાં ડોક્ટરની ખોટ ઓછી થશે તથા સિનિયર ડોક્ટરોનો ભાર હળવો થશે.તથા મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની પણ દેખરેખ સારી રીતે થઈ શકશે.
Govt should stop saying how much O2 is available but tell us how much has been supplied and to which hospital. As far back as October 2020, the Standing Committee of Parliament for Health had warned of the acute shortage in O2 cylinders in output & supply. Govt did not bother.
બે દિવસ પહેલા જ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને ઘેરતા કહ્યું કે હવે સરકારને આ કરવાનું બંધ કરી દેવુ જોઇએ કે કેટલા ઓક્સિજન અમારી પાસે ઉપલબ્ધ છે. સ્વામીએ કહ્યું કે આપણે કહેવુ જોઇએ કેટલી સપ્લાય છે અને હોસ્પિટલમાં કેટલા સિલિન્ડર મોકલ્યા.