13 નવેમ્બરે ધનતેરસનો દિવસ છે, તે દિવસે ભગવાન ધન્વંતરિ, કુબેર અને માતા લક્ષ્મીનું પુજન કરવામાં આવે છે.
ધનતેરસે કરી દો આ કામ
યમદેવતા સાથે છે સીધો સંબંધ
કુબેરજીની પણ પૂજા કરવી જોઇએ
ધનતેરસના દિવસે યમની પણ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય પૂરો થઇ જાય છે.
યમદેવતા માટે દિપદાન
ધનતેરસના દિવસે યમદેવતાના નામ પર એક દીવો પ્રગટાવવાની પરંપરા છે, મૃત્યુના દેવતા યમની દિશા દક્ષિણ માનવામાં આવી છે. માટે ધનતેરસના દિવસે સાંજે દક્ષિણ દિશા તરફ દિવેટ રાખીને દિવો પ્રગટાવવો જોઇએ અને તે દિવાને યમ દેવતાને સમર્પિત કરવો જોઇએ. તે બાદ તે દિવાને ઘરના ઉંબરે મૂકવામાં આવે છે.
દિપદાન માટે આ વર્ષે શુભ મૂર્હુત 1 કલાક અને 20 મિનીટનું છે. ધનતેરસની સાંજે 5 વાગ્યાથી લઇને 6 વાગ્યા સુધી મુર્હૂત છે. ત્યાં સુધી તમે યમરાજા માટે દિવો પ્રગટાવી શકો છો.