ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે યુપીના પીલીભીતમાં જણાવ્યું કે હવે તેમના નિશાન પર યુપીની યોગી સરકાર છે. મોરચો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખુરશી પર ઉતારીને ચેન લેશે.
યોગી સરકારની સામે કિસાન સંગઠનોએ ખોલ્યો મોરચો
બંગાળમાં ભાજપની સામે જેવો માહોલ બનાવ્યો તેવો યુપીમાં બનાવ્યો
ચૂંટણી નહીં લડીએ, બીજી પાર્ટીને સમર્થન પણ નહીં કરીએ- ટિકૈત
યુપીના પીલીભીતમાં રાકેશ ટીકૈતે યુપી સરકાર પર સીધો હુમલો કરતા જણાવ્યું કે યુપીની યોગી આદિત્યનાથ સરકાર હવે કિસાન મોરચના નિશાન પર છે. સંગઠન આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે મોરચો ખોલશે.
યોગી સરકારની સામે સંગઠને મોરચો ખોલ્યો
રાકેશ ટીકેતે જણાવ્યું કે યુપીની યોગી સરકાર હવે ભારતીય કિસાન સંગઠનના નિશાન પર છે. આગામી ચૂંટણીમાં અમે ભાજપને ખુરશી પરથી ઉતારીને જ ચેન લઈશું.
જેવો માહોલ બંગાળમાં ઊભો કર્યો તેવો માહોલ હવે યુપી-ટીકૈત
સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ લખવિંદર સિંહ લક્ખાના ઘેર એક પ્રસંગે આવેલા ટીકૈતે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કિશાન મોરચાએ ભાજપની સામે જેવો માહોલ ઊભો કર્યો હતો તેવો માહોલ હવે યુપીમાં ઊભો કરવામાં આવશે.
ચૂંટણી નહીં લડીએ કે બીજી કોઈ પાર્ટીને સમર્થન પણ નહીં આપીએ
ટીકૈતે જણાવ્યું કે ભારતીય કિસાન યુનિયન ચૂંટણી નહીં લડે કે બીજી કોઈ પાર્ટીને સમર્થન પણ નહીં આપે. પરંતુ ભાજપની સામે માહોલ બનાવવાનું કામ જરુરથી કરશે.
હજુ પણ સમય છે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદા પાછા ખેંચે
ટીકેતે જણાવ્યું કે ત્રણ કાયદા પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકારની પાસે હજુ પણ સમય છે. તેમણે કહ્યું કે મોરચો આંદોલન ચાલુ રાખશે.