ભગવાન શિવને ભોળીયો ભગવાન કહેવામાં આવે છે કારણ કે ભગવાન ભોળાનાથ પોતાના ભક્તોની મનોકામના જલ્દી પુરી કરે છે. ભગવાન શિવને પ્રશન્ન કરવા માટે એવા ઘણા મંત્રો છે જેનુ ઉચ્ચારણ ભાવિ-ભક્તો મનોકામના પૂર્ણ કરવા રોજ કરે છે.
આ ઉપરાંત શિવપુરાણમાં એવા ઘણા મંત્રો છે જે માનવ કલ્યાણ માટે ખુબ પ્રભાવશાળી છે. તેનુ ઉચ્ચારણ કરવાથી ભગવાન નિલકંઠ આપણા ઉપર ખુશ થાય છે અને આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવે છે.
આજે અમે તમને જણાવશું ભગવાન શિવના એક એવા ચમત્કારી મંત્ર વિશે જેનુ ઉચ્ચારણ કરવાથી તમારી કુંડળીના તમામ દોષો દુર થઇ જશે અને તમારૂ જીવન આનંદમય થઇ જશે.
ભગવાન શિવજીનો આ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર- 'ऊं त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षिय मामृतात्।' આ એવો ચમત્કારી મંત્ર છે કે શ્રાવણ માસમાં નિત્ય આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી તમારી કુંડળીના તમામ દોષો દુર થઇ જશે અને શિવજીની કૃપા તમારા પર વરસતી રહેશે.
આ ઉપરાંત આ મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવાથી તમારા ઘરમાંથી અસુરી શક્તિઓનો નાસ થશે અને શિવની કૃપાથી ઘરમાં ક્યારેય આર્થિક તાણ નહીં આવે.