મુંબઇ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાજ ઠાકરેએ પીએમ મોદી પર ટિપ્પણી કરતા કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી બીજા એડોલ્ફ હિટલર છે.
રાજ ઠાકરેએ જણાવ્યું કે હું ગુડી પડવાના અવસરે મોદી મુક્ત ભારતની કામના કરૂ છું. જે રીતે મોદીને પ્રધાનમંત્રી બનવા માટે તક મળી તે જ રીતે રાહુલ ગાંધીને પણ પ્રધાનમંત્રી બનવા માટે તક મળવી જોઈએ. બની શકે કે તેઓ દેશ માટે કંઈ સારૂ કરી શકે.
આગળ વધુમાં જણાવ્યું કે મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા તે પહેલા તેઓને નહોતી ખબર કે તેમની માતા પણ છે. પરંતુ જ્યારે તેઓ પીએમ બન્યા મીડિયાના લોકોને લઈને માતાને મળવા પહોંચી જાય છે.
ભાજપ ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. જો તેઓ પૈસા આપવા માટે આવે તો એ પૈસા લઈ લેવા, કારણકે તેઓ આપણને લૂંટી ચૂક્યા છે. પરંતુ તેઓને બિલકુલ વોટ ના આપતા અને સત્તામાંથી ઉખાડી ફેંકો.
આપણો દેશ હાલ બે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એક અમિત શાહ અને બીજા નરેન્દ્ર મોદી