હાલમાં વિદેશમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યુ કે, જે લોકો રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને પેરીફેરલ આર્ટર ડિજીજ થવાનો ભય 74 ટકા વધારે જોવા મળ્યો છે
દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ
દુનિયામાં લગભગ 200 મિલિયન લોકો પેરીફેરલ આર્ટરી ડિજીજની સમસ્યાથી પીડિત છે
સ્ટ્રોક અને હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે
ઘણા લોકો એવા હોય છે વધારે સમય સુતા હોય છે અને અમુક એવા લોકો પણ હોય છે જે જરુર પુરતી પણ ઊંઘ લઇ શકતા નથી. આ વિશે જાણકારોનું કહેવુ છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ. હાલમાં વિદેશમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યુ કે, જે લોકો રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને પેરીફેરલ આર્ટર ડિજીજ થવાનો ભય 74 ટકા વધારે જોવા મળ્યો છે. આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ કે, દુનિયામાં લગભગ 200 મિલિયન લોકો પેરીફેરલ આર્ટરી ડિજીજની સમસ્યાથી પીડિત છે તો જાણો શું છે આ ડિજીજ?
શું છે પેરીફેરલ આર્ટરી ડિજીજ?
પેરીફેરલ આર્ટરી ડિજીજના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે તે સુકાવા લાગે છે. જેનાથી પગ અને હાથોમાં બ્લડનો ફ્લો ઓછો થઇ જાય છે. પગ સુધી યોગ્ય માત્રામાં લોહી ના પહોંચવાના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે લોકો રાત્રે 7થી 8 કલાકની ઊંઘ પૂરી કરી લે છે, તેમણે પેરીફેરલ આર્ટરી ડિજીજનો ભય ઘણો ઓછો હોય છે.
આ રિસર્ચ સાથે જોડાયેલા રિસર્ચર્સે જણાવ્યુ કે, રાતના સમય ભરપૂર ઊંઘ ના લેવી અને દિવસમાં નેપિંગના કારણે કોરોનરી આર્ટરી ડિજીજનો ભય ઘણો વધે છે. પેરીફેરલ આર્ટરી ડિજીજની સમસ્યાથી પીડિત દર્દીઓએ રાતના સમયે સુવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ રિસર્ચમાં 6,50,000 થી વધારે લોકો સામેલ હતા.
આ રીતે થયુ સંશોધન
સૌથી પહેલા રિસર્ચર્સે પીએડીના જોખમની સાથે ઊંઘ નો સમય અને ડે-ટાઇમ નેપિંગનું વિશ્લેષણ કર્યુ. ત્યાં બીજા ભાગમાં શોધકર્તાઓએ તેની પાછળના કારણો વિશે જાણવા માટે અનુવાંશિક ડેટાનો ઉપયોગ કરે છે. રિસર્ચર્સનું કહેવુ છે કે, રોજ 7થી 8 કલાકની ઊંઘ પૂરી કરવાનારાની સરખામણીમાં જે લોકો 5 કલાકની ઊંઘ લે છે તેમને પેરીફેરલ આર્ટરી ડિજીજનો ભય બેગણો વધારે હોય છે. આ ડિજીજ થવા પર ઊંઘ ઓછી આવવી અને ઊંઘ પૂરી ના થવી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.