પંજાબના પૂર્વ સૈનિકના દિકરાની ફિલિપાઈન્સમાં ગોળી મારી હત્યા કરાઈ. આ પૂર્વ સૈનિકનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરાનો મૃતદેહ ભારત પરત લાવી શકાયો ન હોવાથી માતા સહિત તમામે તેનાં અંતિમ સંસ્કાર એવી રીતે જોયા કે તમે જાણીને હચમચી જશો.
સુખજીતને 5 ફેબ્રુઆરીનાં રોજ અજ્ઞાત લોકોએ તેને ગોળી મારી હતી
સુખજીતની સારવારનો ખર્ચ મિત્રોએ ઉઠાવ્યો
પરિવારની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી મૃતદેહ લાવી ન શક્યા
ગરીબાઈને લીધે ભારતીય યુવકનો મૃતદેહ વતન ન પહોંચ્યો
પંજાબના ફિરોજપુર જિલ્લાના મુદકીનો 35 વર્ષિય સુખજીત સિંહ દોધી 22 મહિના પહેલા ફિલિપાઈન્સનાં મનીલા ગયો હતો. સુખજીત 29મી એપ્રિલ 2018ના રોજ ફિલિપાઈન્સ ગયો હતો. જ્યાં તે એક ફાયનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતો હતો. 5 ફેબ્રુઆરીનાં રોજ અજ્ઞાત લોકોએ તેને ગોળી મારી હતી. 12 ફેબ્રુઆરીએ સુખજીતનું સારવાર દરમિયાન મોંત નિપજ્યું હતું. પરિવાર પાસે તેનો મૃતદેહ વતન પાછો લાવવા માટે પૈસા ન હોવાથી તેના અંતિમ સંસ્કાર મનીલામાં કરવામાં આવ્યાં છે.
મારા દિકરાને એક વાર જોઈ લેવા દો સ્પર્શી લેવા દો
આ દુઃખદ ઘડીમાં સુખજીત સિંહના પરિવાર અને સંબંધિઓ શુક્રવારે તેમના ઘરે એક્ઠા થયાં હતા. જેમની મજબૂરી જોઈને લોકોના હૃદય ફાટી ગયા હતા. સુખજીતની માતાએ દિકરાનો અંતિમ સંસ્કાર વીડિયો કોલ પર જોવા મજબુર બની હતી. સાથે સાથે સુખજીતનાં સંબંધીઓએ પણ વીડિયો પર તેનો અંતિમ સંસ્કાર નિહાળ્યો હતો. મારાનું હૈયા ફાળ રુદન અને અંતિમ ઘડીએ દીકરાને નજરે ન જોઈ શકવાનો વલોપાત કરતા માતા કહી હતી કે મારા દિકરાને એક વાર જોઈ લેવા દો સ્પર્શી લેવા દો.
મિત્રોએ તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો
સુખજીતના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મિત્રોએ તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો. ભારત લાવવા પાછળ તોતિંગ ખર્ચ થતો હતો. મિત્રોએ સુખજીતનો મૃતદેહ ભારત મોકલવા માંગતા હતા પણ સુખજીતના પિતા મિત્રો પર એટલો મોટો ખર્ચાનો બોજો નાંખવા માંગતા ન હોવાથી તેમણે ના પાડી હતી. આથી તેને ભારત લવાઈ શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, સુખજીતના પિતા નછતર સિંહ (60 વર્ષ) પુર્વ સૈનિક છે. પરિવાર પોતાની પાસે રહેલી અંદાજીત 2 એકર જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સુખજીતે મનીલા જવાનો નિર્ણય કર્યો હતો.