રાજકોટમાં લેપ્ટોસ્પાયરોસિસનો શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. કારણ કે આ રોગ ફેલાતા વાર નથી લાગતી. લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા શરીરમાં એક વખત દાખલ થયાના 24 કલાકમાં સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.
રાજકોટમાં લેપ્ટોસ્પાયરોસીસનો શંકાસ્પદ કેસ નોંધાયો
બેડીપરા વિસ્તારમાં રહેતો હતો યુવાનમાં દેખાયા લક્ષણો
પરપ્રાંતીય યુવક ખાનગી હોસ્પિટલમા સારવાર હેઠળ
રાજકોટમાં લેપ્ટોસ્પાયરોસીસનો શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે. બેડીપરા વિસ્તારમાં રહેતા યુવાનમાં લેપ્ટોસ્પાયરોસીસના લક્ષણો દેખાયા છે. પરપ્રાંતીય યુવકને ખાનગી હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સેમ્પલ લઈ સુરત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગે બેડીપરા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. ભારતમાં 2004માં લેપ્ટોસ્પાયરોસીસનો પ્રથમ કેસ નોંધાયો હતો.
કેવી રીતે ફેલાય છે?
લેપ્ટોસ્પાયરોસિસ એક જીવાણું રોગ છે. જે મનુષ્ય ઉંદર અને પાલતુ પ્રાણીઓમાં ફેલાય છે. જે મળ-મૂત્ર દ્વારા પણ ફેલાય છે.
એકવાર શરીરમાં દાખલ થયા બાદ 24 કલાકમાં સમગ્ર શરીરમાં ફેલાઈ જાય
લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા શરીરમાં એક વખત દાખલ થયાના 24 કલાકમાં સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. આ બિમારીમાં તાવ આવવો માથુ દુખવું શરીર તૂટવું ડાયરિયા આંખો લાલ થઈ જવી.
સાઉથ આફ્રિકામાં જોવા મળે છે
આ બિમારી આફ્રિકા સાઉથ ઈસ્ટ એશિયા સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા અને કેરેબિયન દેશોમાં વધુ જોવા મળે છે. નિષ્ણાતોનું માનીએ તો કોઈ વ્યક્તિમાં લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે આ બિમારી શરૂઆતી તબક્કામાં કાબુમાં આવી શકે છે. જોકે બિમારી વધી ગયા બાદ તેની સારવાર મુશ્કેલ છે.
શું છે લેપ્ટોસ્પાયરોસિસ ?
લેપ્ટોસ્પાયરોસિસ એક જીવાણુ રોગ છે
મનુષ્ય ઉંદર અને પાલતુ પ્રાણીઓને કરે છે પ્રભાવિત
વરસાદ ગંદકીના કારણે વધુ ફેલાય છે
24 કલાકમાં સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે