જૂનાગઢમાં દિવસે દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે. અત્યાર સુધી દીપડાએ 17 જેટલા લોકોના જીવ લીધા છે. તેમ છતાં વનવિભાગ તેને પકડી શકી નથી. ત્યારે હવે માનવભક્ષી દીપડાને મારવા માટે ધારાસભ્ય હર્ષદ રિબડીયા મેદાને આવ્યા છે.
વનવિભાગનો મેગા એક્શન પ્લાન
દીપડાએ 17 લોકોના લીધા જીવ
MLA હર્ષદ રિબડીયા મેદાન
રાજ્યમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો ત્યારે દીપડાને ઝડપી પાડવા વનવિભાગે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે CCF સહિતના અધિકારીઓ અમરેલી પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ બંદૂક લઈને હર્ષદ રિબડીયાએ દીપડાને માર મારવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. 15 દિવસમાં રેવન્યૂ વિસ્તારમાંથી દીપડાને પકડવા માટે અલ્ટીમેટમ અપાયુ છે. દીપડો ન પકડાય તો ધારાસભ્યએ ગોળી મારવાની ચીમકી ઉચ્ચારી છે.
અમરેલી, ગાંધીનગર અને જૂનાગઢના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન
રાજ્યમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. આથી દીપડાને ઝડપી પાડવા વનવિભાગે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે CCF સહિતના અધિકારીઓ અમરેલી પહોંચ્યા છે. અમરેલી, ગાંધીનગર અને જૂનાગઢના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન કરશે. માનવભક્ષી દીપડાને ઠાર મારવા માટે વનવિભાગના સ્પે. શુટરોને કામે લગાવાયા છે. તેમજ માવનભક્ષી દીપડાને પકડવા માટે બગસરામાં પાંજરા અને CCTVની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે.
સાંજે 7 વાગે ખેતરમાં ન જવા સૂચના અપાઇ
આ સમગ્ર મામલે અમરેલી કલેક્ટર અને CCFની સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. આજ રાતથી જ માનવભક્ષી દીપડાને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે. તો લોકોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરમાં ન જવા સૂચના આપવામાં આવી છે.
દિલીપ સંઘાણીએ વન વિભાગને લખ્યો પત્ર
અમરેલીમાં માનવભક્ષી દીપડાને ઠાર કરવાની માગ દિલીપ સંઘાણીએ કરી છે. દિલીપ સંઘાણીએ વન વિભાગને પત્ર લખ્યો અને દીપડાને ઠાર કરવાની અનુમતી માગી છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે વન્ય પશુઓ રહેણાંક વિસ્તારમાં વિચરવા લાગ્યા છે. વન્ય પશુઓના ત્રાસથી ખેડૂતો ભયભીત થઇ ગયા છે. હિંસક પ્રાણીઓને મારવા અધિકારીઓને સરકારના નિર્દેશ છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે વન વિભાગ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે.