જંગલના વાતાવરણની બહાર હવે વન્ય પશુઓનો વસવાટ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ઘણી વખત આપણે જોયુ છે કે સિંહ આ ગામની સીમ જોવા મળ્યો. જો કે હાલ છેલ્લા થોડા દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અગાઉ રાજકોટમાં દેખાયા બાદ હવે ચોટીલીમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ બાદ ચોટીલામાં પણ દેખાયો દીપડો
ચોટીલા બામણબોર વચ્ચે દીપડો દેખાયો
દીપડાની જાણ થતા વનવિભાગે તપાસ શરૂ કરી
રાજકોટ બાદ દિપડો હવે ચોટીલામાં દેખાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વખતે દિપડો ચોટીલા અને બામણબોર વચ્ચે દેખાયો છે. જો કે દીપડાની જાણ થતાં વનવિભાગે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમરેલીમાં માનવભક્ષી દિપડાને ઠાર મારવામાં આવ્યો હતો. બગસરા ગૌશાળામાં દીપડાને વન વિભાગે ઠાર કર્યો હતો. જેમાં દીપડાએ અનેક લોકોને ફાડી ખાધા હતાં. શાર્પશૂટરોની ટીમે દીપડાને ઠાર કર્યો હતો.
મહત્વનું છે કે, અમરેલી પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે હજુ પણ જરૂર જણાય તો ઓપરેશન શરૂ રખાશે.