ગીર સોમનાથના કોડીનારમા વન વિભાગ દ્વારા દીપડી અને ત્રણ બચ્ચા પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યાં હતા. આ દીપડી અને ત્રણ બચ્ચા પાંજરે પુરાયા છે. દીપડી દ્વારા વારંવાર હુમલાની ઘટનાને લઈને વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે દીપડી અને તેના બચ્ચાને પકડીને એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવ્યા છે