શારીરિક નબળાઇ અને ખાણીપીણીનું ધ્યાન ના રાખવાને કારણે મોટાભાગના લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લેમન ગ્રાસનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ તત્વ દુખાવાથી રાહત અપાવવાની મદદ કરે છે.
લેમન ગ્રાસમાં એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે, એ દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. એના તેલથી માલિશ કરવા પર સાંધાના દુખાવામાં રાહત મળે છે.
જો લેમન ગ્રાસના પાનને ઉકાળીને ચા ની જેમ પીવામાં આવ તો શરીર સ્વસ્થ રહે છે, એનાથી કમર દુખાવો અન્ય બોડી દુખાવામાં રાહત મળે છે.
લેમન ગ્રાસમાં સિટ્રોનિલા નામનું તત્વ હોય છે, જે સેરોટિનના સ્તરને વધારે છે. એનાથી તણાવ ઓછો રહે છે. સાથે જ મૂડ ફ્રેશ પણ રહે છે.
લેમન ગ્રાસમાં સિટ્રલ નામનું તત્વ હોય છે. એ મેટાબૉલિઝ્મને ફાસ્ટ કરે છે. એનાછી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.
નર્વસ સિસ્ટમ માટે ટૉનિકનું કામ કરે છે. માથું દુખવું, નર્વસનેસ અથવા ચક્કર આવવા જેવા ન્યૂરો ડિસઑર્ડરને દૂર કરવામાં મદદ કરે છે.
શરદી ખાંસીમાં જો શ્વાસ લેવાતી તકલીફ થાય તો લેમન ગ્રાસની ચા પીવાથી લાભ થાય છે. કારણ કે એમાં વિટામીન સી હોય છે.
લેમન ગ્રાસની ટી પીવાથી ગાઢ ઊંઘ આવે છે. એ નસો અને મસલ્સને રિલેક્સ કરે છે.
લેમન ગ્રાસનો ઉપયોગ શરીરની ઇમ્યૂનિટી વધારે છે. કારણ કે એ શરીરથી ટૉક્સિન્સ બહાર નિકાળીને શરીરને ડિટૉક્સિફાય કરવામાં મદદ કરે છે.
લેમન ગ્રાસ યૂરિક એસિડના સ્ચરને ઓછી કરીને કિડની અને લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.