પંજાબની કપૂરથલા જેલના લીંબુ કૌભાંડ બહાર આવતા જેલમંત્રીએ જેલરને બરખાસ્ત કરી દીધા છે.
પંજાબની કપૂરથલા જેલમાં અનોખું કૌભાંડ
જેલર સાહેબે ખોટેખોટા મંગાવી દીધા 50 કિલો લીંબુ
લાવ્યા નહોતા છતા મૂકી દીધું 50 કિલો લીંબુનું બીલ
એક પણ લીંબુ કેદી સુધી ન પહોંચ્યું
મામલો ધ્યાનમાં આવતા જેલ મંત્રીએ જેલર સાહેબને કરી દીધા બરખાસ્ત
અત્યાર સુધીમાં તમે મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ દ્વારા લાખો-કરોડોના કૌભાંડ વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ હવે પંજાબમાંથી એક અનોખું કૌભાંડ બહાર આવ્યું છે. જ્યાં જેલમાં લીંબુનું કૌભાંડ થયું હતું. આ આખો મામલો કપૂરથલા મોર્ડન જેલનો છે.
50 કિલો લીંબુ ખરીદ્યું, કેદીને એક પણ લીંબુ
ન મળ્યું, હકીકતમાં કપૂરથલા મોર્ડન જેલનો આ આખો મામલો 50 કિલો લીંબુની ખરીદી સાથે જોડાયેલો છે. જેલ અધિક્ષક ગુરનામ લાલે તેમના બિલમાં ઉલ્લેખ કર્યો હતો કે રેશન ખરીદીમાં ૫૦ કિલો લીંબુ ખરીદવામાં આવ્યા હતા. બજારમાં લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ હતો ત્યારે આ બિલ વિભાગને મોકલવામાં આવ્યું હતું. પરંતુ લીંબુ જેલના કેદીઓ પણ નસીબદાર ન હતા. જ્યારે પેનલ તપાસ માટે જેલમાં પહોંચી તો જેલરની આખી પોલ ખુલી ગઇ હતી.
મામલો સામે આવતા જ જેલ મંત્રી હરજોત બૈસે જેલના અધિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપીને સરકારને તગડી ફટકાર આપી હતી. આ મામલો સામે આવતા જ તમામ મોટા અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. પંજાબના એડીજીપી વિરેન્દ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "કપૂરથલા મોર્ડન જેલ સુપ્રિટેન્ડન્ટે જેલના કેદીઓને યોગ્ય ભોજન આપવામાં આ ગડબડ કરી છે. આ મામલો સામે આવતા જ જેલ અધિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ડીઆઈજીની અધ્યક્ષતામાં એક ટીમ બનાવવામાં આવી હતી. જેમણે સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. કપૂરથલા જેલના કેદીઓ માટે જે લીંબુ મંગાવવામાં આવ્યા હતા તે રેકોર્ડમાં ક્યાંય પણ મળી આવ્યા ન હતા. કે કેદીઓને પણ આ લીંબુ મળ્યું ન હતું. આ તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ પણ જોવા મળી હતી. જેના આધારે જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.