અગાઉ 10 ટકા રકમ સુધીની રકમ ધારાસભ્યો અને કોર્પોરેટર ફાળવણી કરી શકતા હતા પણ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે.
જન ભાગીદારીના કામોને લઇને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
ધારાસભ્યોને અને કોર્પોરેટર્સની ગ્રાન્ટને લઇ લેવાયો નિર્ણય
જનભાગીદારીના કામમાં ધારાસભ્યો 20 ટકા રકમ ફાળવી શકશે
અગાઉ 10 ટકા રકમની સુધી ફાળવણી કરી શકતા હતા
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ઘટક કામો માટે ખાનગી સોસાયટીઓ એ ભરવાના 20 ટકા ફાળામાં હવે ધારાસભ્ય કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી 10ને બદલે 20 ટકા સુધી પોતાની સંમતિથી ફાળવી શકશે, હવે લોકોએ કાઢવો પડતો ફાળો ધારાસભ્યો અને નગરસેવકો પોતાની ગ્રાન્ટમાંથી 20% સુધી આપી શકશે જેનો સીધો લાભ હવે લોકોને થશે જનભાગીદારીથી થતાં કામ હવે ફાળાને લીધે નહીં અટકે.રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતા 20 ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે
આ કામમાં મળશે લાભ
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની હાલની જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે 70 ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, 20 ટકા ખાનગી સોસાયટી દ્વારા અને 10 ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયથી નગર સુખાકારીના કામોના વ્યાપક હિત જળવાશે અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકશે
શહેરી વિકાસ વિભાગને આપ્યો આદેશ
જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા 20 ટકા લોકફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના 10ને બદલે હવે 20 ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે. તાત્કાલિક સરકારના નિર્ણયનો અમલ પણ શરૂ થઈ જશે.