કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરૂદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હોબાળા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંસોધન બિલ પાસ થયું. આ દરમિયાન ભાજપ નેતા નારેબાજી કરતા ગૃહમાંથી વૉકઆઉટ કરી ગયા.
કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ રાજસ્થાને પાસ કર્યું બિલ
ભાજપના ધારાસભ્યોએ કર્યું વૉકઆઉટ
અગાઉ પંજાબમાં કેન્દ્રના આ ત્રણ કાયદાઓને રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે
ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓને ખતર કરવા માટે બોલાવ્યું હતું. આ હેઠળ ગૃહના ટેબલ પર છ બિલ રાખવામાં આવ્યા હતા.
સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે ગૃહના ટેબલ પર કેટલાક મુખ્ય બિલ રાખ્યા, જે આ પ્રકારે છે- કૃષિ ઉપજ અને વ્યાપાર અને વાણિજ્ય સંર્દ્ધન અને સરલીકરણ રાજસ્થાન સંશોધન બિલ 2020, ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ, કીમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર રાજસ્થાન સંશોધન બિલ 2020, જરૂરિ વસ્તુ વિશેષ જોગવાઇઓ અને રાજસ્થાન સંશોધન વિધેયક 2020 અને સિવિલ પ્રક્રિયા સંહિતા રાજસ્થાન સંશોધન બિલ 2020.
ત્યારે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ પંજાબ બાદ નવા બિલ લાવવાનું એલાન કર્યું હતું. પંજાબમાં કેન્દ્ર સરકારના કૃષિથી જોડાયેલા ત્રણ કાયદાઓને રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે.