ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એક વખત મેદાનમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતા દેખાશે. તેઓ લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ઈન્ડિયા મહારાજાની આગેવાની કરશે.
સૌરવ ગાંગુલી ફરી એક વખત મેદાનમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે
સપ્ટેમ્બર 2022માં લીજેન્ડ્સ ક્રિકેટ લીગની થશે શરૂઆત
Legends League Cricketની બીજા સિઝનની શરૂઆત થવાની છે. આ લીગની શરૂઆત સપ્ટેમ્બર 2022માં થઇ રહી છે. આ રોમાંચક ક્રિકેટ લીગની પહેલી મેચ ખૂબ સ્પેશિયલ હશે. આ લીગની પહેલી મેચ ભારતના ઐતિહાસિક સ્ટેડિયમ કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ખાસ વાત એ છે કે આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપે સૌરવ ગાંગુલી કરશે. લીજેન્ડ્સ ક્રિકેટ લીગની આ મેચ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો ભાગ પણ રહેશે. આ લીગમાં ભારતીય ટીમનુ નામ ઈન્ડિયા મહારાજા રાખવામાં આવ્યું છે, જે વર્લ્ડ ટીમનુ નામ વર્લ્ડ જાએન્ટ્સ રાખવામાં આવ્યું છે.
દાદા ફરીથી કરશે ભારતીય ટીમની કેપ્ટનશિપ
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી લાંબા સમય બાદ ભારતીય ટીમની ફરીથી સુકાન સંભાળશે. લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં વર્લ્ડ ટીમ તરફથી 10 દેશોના ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે. મહત્વનું છે કે ઈન્ડિયા અને વર્લ્ડ ટીમની વચ્ચે મેચ થયા બાદ આ લીગની મેચ શરૂ થઇ જશે. આ મેચ દેશના છ શહેરોમાં 22 દિવસની અંદર કુલ 15 મેચ રમાશે.
સૌરવ ગાંગુલીની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 113 ટેસ્ટ મેચ સિવાય 311 વન-ડે અને આઈપીએલમાં 59 મેચ રમી. દાદાએ 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યાં. આ દરમ્યાન તેમણે 16 સદી ફટકારી. જ્યારે 1 ડબલ સેન્ચ્યુરી પણ ગાંગુલીના નામે છે.