બંગાળી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન થઈ ગયું છે. તેમણે 85 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહી દીધું. સૌમિત્ર ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તેમ છતાં તેમની હાલત બગડતી જઈ રહી હતી. હાલમાં જ સૌમિત્ર ચેટર્જીની હેલ્થ અપડેટ સામે આવી હતી, જેમાં ડોક્ટર્સે ચિંતા જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેમને લાઈફ સપોર્ટ પર મૂકવામાં આવ્યાં છે, પરંતુ તેઓ સારવાર પર કોઈ રિસ્પોન્સ આપી રહ્યાં નહોતા.
ફિલ્મ જગતથી વધુ એક ખરાબ સમાચાર
બંગાળી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન
સૌમિત્ર ચેટર્જી લાંબા સમયથી બીમાર હતા
સૌમિત્રા ચેટર્જીએ આજે (15 નવેમ્બર 2020) બેલે વ્યૂ ક્લિનિકમાં બપોરે 12.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. જોકે, તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરતા ડોકટરોની ટીમે તેમની તબિયત સુધારવા માટે ઘણાં પ્રયાસો કર્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ચેટર્જીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નહતા.
ડોક્ટરોએ જણાવ્યું કે તમામ પ્રયત્નો છતાં પણ તેમનું શરીર રિસ્પોન્સ નહોતું કરી રહ્યું. તેમની હાલત વધુ ગંભીર થતી ગઈ અને અંતે 85 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે, સૌમિત્ર ચેટર્જીને 6 ઓક્ટોબરે કોરોના સંક્રમણ લાગ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પછી તેઓ કોરોનાથી સાજા થઈ ગયા પરંતુ તેમની તબિયત બગડતી ગઈ.