મોહમ્મદ અવ્વાદ અને તેની મંગેતરે ઓનલાઇન વ્યાજબી ભાડાનું એક અપાર્ટમેન્ટ જોયું. જે લેબનોનમાં આવ્યું છે. 27 વર્ષીય આ પત્રકારે મકાન માલિકને ફોન કરી મકાન જોવા માટે પૂછ્યું, તો મકાન માલિકનો જવાબ સાંભળી ચોંકી ગયો. મકાન માલિકે કહ્યું કે, આ શહેરમાં મુસ્લિમોને રહેવાની પરવાનગી નથી તો સંપત્તિ ખરીદી આપવામાં આવતી નથી.
એપાર્ટમેન્ટના માલિકે અવાદની માંફી માગતા કહ્યું કે, તેમને આ બાબત વ્યક્તિગત કોઇ જ વાંધો નથી પરંતુ આ વિસ્તારના વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. અહીં માત્ર ઇસાઇ ધર્મના લોકોને જ ભાડે મકાન આપવામાં આવે છે અને તેઓ કોઇ પ્રકારની સંપત્તિ ખરીદી શકે છે.
શિયા સમુદાયના અવાદને પહેલીવાર તો આ બાબત પર વિશ્વાસ ન આવ્યો તેણે પોતાની મંગેતર સારા રાદ પાસે નગરપાલિકામાં ફોન કરાવ્યો.
આ બાબત અંગેની ખરાઇ કરી હતી. ત્યાર બાદ તેને ખબર પડી કે, કેટલાય વર્ષોથી હદાતમાં મુસ્લિમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેટલાય સંપ્રદાયમાં ફેલાયેલા હદાત કસ્બાનું એક ઉદાહરણ છે. 15 વર્ષ પહેલા આ સાંપ્રદાઇક ખાડાએ લેબેનાને ગૃહયુદ્ધમાં ધકેલી દીધું. જેમાં આશરે 1 લાખ લોકો માર્યા ગયા હતા. ત્યારે બાદ આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા.