ત્રિપોલીમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખતા ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ત્યાં ફસાયેલા ભારતીયોને ઝડપથી લીબિયા છોડી અન્ય દેશમાં જવા અપીલ કરી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું કે જો તે લોકો આમ નહીં કરે તો તેમને થોડા સમય પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
લીબિયાની રાજધાની ત્રિપોલીમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખતા ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ત્યાં ફસાયેલા ભારતીયોને ઝડપથી લીબિયા છોડી અન્ય દેશમાં જવા અપીલ કરી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું કે જો તે લોકો આમ નહીં કરે તો તેમને થોડા સમય પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સુષમા સ્વરાજે ટવિટ કરી જાણકારી આપતાં કહ્યું કે લીબિયામાં મોટી સંક્યામાં લોકોને નિકળવા તેમજ યાત્રા પર પ્રતિબંધ હોવા છતાં અંદાજે 500થી વધુ ભારતીયો ત્રિપોલીમાં ફસાયેલા છે. ત્રિપોલીમાં પરિસ્થિતિ વધુ બગડતી જાય છે. જો કે હાલમાં ત્યાં વિમાન સેવા ચાલુ છે.
સુષમા સ્વરાજે લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે તમારા સગા-સંબંધીઓ અને મિત્રોને ઝડપથી ત્રિપોલી છોડવા જણાવો. વિદેશ પ્રધાને કહ્યું કે થોડા સમય પછી તેમને ત્યાંથી બહાર કાઢવા શક્ય નહીં બને.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રધાનમંત્રી ફૈયાઝ અલ સરાઝને સત્તા પરથી દૂર કરવા લીબિયાના સૈન્ય કમાન્ડર ખલીફાના સમર્થકોએ ત્રિપોલીમાં હુમલા શરૂ કરી દીધાં છે. ગત બે અઠવાડિયાથી લીબિયાની રાજધાની નજીક 200 લોકોના મોત નિપજ્યાં છે.