પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળી છે. હવેથી 25 લાખ સુધીની પેઈડ લીવ પર ટેક્સ લેવામાં આવશે નહીં. જાણો.
કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી છે મોટી ભેટ
પેઈડ લીવની લિમિટ 3 લાખથી વધારીને કરી 25 લાખ
એટલે કે 25 લાખ રૂપિયા સુધીની લીવ પર નહીં કપાય ટેક્સ
દરેક પ્રાઈવેટ કંપની પોતાના કર્મચારીઓને ત્રણ પ્રકારની રજાઓ આપે છે. જેમાં મેડિકલ, કેઝ્યુઅલ અને પેઈડ અથવા અર્ન્ડ લીવ હોય છે. કંપનીની પેઈડ લીવને કર્મચારી જોબ છોડતાં સમયે ઈનકેશ કરી શકે છે.પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારાઓને સરકારે મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓને રજાને બદલે મળતાં પૈસામાં વધારો કર્યો છે. હવે કર્મચારીઓને વધારીને 25લાખ સુધી મળનારી લીવ એનકેશમેન્ટમાં કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. આ લિમિટ પહેલાં 3 લાખ રૂપિયાની હતી.
શું હોય છે પેઈડ લીવ?
પેઈડ લીવ અને અર્ન્ડ લીવ એ હોય છે જેમાં કર્મચારીઓને તેમની રજાનાં બદલે પૈસા મળે છે. કર્મચારીઓ એ એમાઉન્ટ કેશ કરવાવી શકે છે. આવી રજાઓ કર્મચારીઓને નોકરી છોડવા પર કે રિટાયર થવા પર કેશ કરવાથી મળી છે. જો કે કંપની અનુસાર નિયમો અલગ અલગ હોય છે.
કર્મચારીઓને મળશે ફાયદો
રજાનાં બદલે પૈસા લેવાની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ સુધી કરી દેવામાં આવી છે. તેનાથી પ્રાઈવેટ સેક્ટરમાં જોબ કરનારા કર્મચારીઓને રજાનાં બદલે હવે વધુ પૈસા મળશે. નવા નિયમાનુસાર કર્મચારી પોતાની રજાઓ કેશ કરાવી શકે છે. પહેલા 3 લાખ રૂપિયા સુધીની રજા કેશ કરાવી શકાતી હતી અને તેની ઉપરની લીવ પર ટેક્સ કપાતું હતું. હવે આ લિમિટ 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે 25 લાખ રૂપિયા સુધીની રજા પર ટેક્સ કપાશે નહીં.