લીઝ પેન્ડન્સી નોંધને લઇને મહેસૂલ વિભાગે કહ્યું કે, 'લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડવાની કોઇ જોગવાઇ નથી.'
ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો
લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડી શકાશે નહીં
કોર્ટ હુકમ સિવાય લીઝ પેન્ડન્સી નોંધ પાડી ન શકાય
ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લીઝ પેન્ડન્સી નોંધને લઇને મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડવાની કોઇ જોગવાઇ નથી. લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડી શકાશે નહીં. સરકારના ધ્યાને કેટલાંક કિસ્સાઓ સામે આવતા મહેસૂલ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે. રેવન્યુ રેકર્ડમાં લીઝ પેન્ડન્સી નોંધ પડેલા કિસ્સા સામે આવતા સરકારે મહત્વનો નિર્ણય કર્યો. મહેસૂલ વિભાગે જણાવ્યું કે, 'કોર્ટ હુકમ સિવાય લીઝ પેન્ડન્સી નોંધ પાડી ન શકાય.'
જ્યુડિશિયલ કોર્ટ આદેશ કરે તો જ નોંધ કરવામાં આવે
રેવન્યુ રેકર્ડમાં લીઝ પેન્ડન્સીની નોંધ મુદ્દે મહેસૂલ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોય તે બાબતની નોંધ ન કરવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. આ સાથે પરિપત્રમાં એમ કહેવાયું છે કે, જ્યુડિશિયલ કોર્ટ આદેશ કરે તો જ નોંધ કરવામાં આવે.
તાજેતરમાં 7/12ના ઉતારાને લઇને લેવાયો હતો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહેસૂલ વિભાગે 7/12ના ઉતારાને લઇને પણ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, હવે નવી-જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે.
ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12ની નકલ મેળવી શકશે
ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. એટલે કે મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 7/12ના ઉતારાની નકલમાં મોટો ફેરફાર કરાયો છે. જે અંતર્ગત હવેથી ખેડૂતોને નવી 7/12ની નકલ બારકોડવાળી મળી જશે. જેમાં ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12ની નકલ મેળવી શકશે. આ નકલમાં જમીનનો નકશો અને ક્ષેત્રફળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય બાદ હવે ખેડૂતોએ વારંવાર 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. જો કે, તમને જણાવી દઇએ કે, આ કામગીરીની શરૂઆત આણંદ જિલ્લાથી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં નવા ફેરફાર સાથે આ કામગીરી શરૂ કરી દેવાઇ છે.