પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઇન્ડિયાએ અમૂલ ડેરીને શાકાહારી દૂધનું ઉત્પાદન શરૂ કરવાનું કહ્યું એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ PETAની અરજીને ફગાવી
PETA એ અમૂલને શાકાહારી દૂધનું ઉત્પાદન શરૂનું કહ્યું
એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ PETAની અરજીને ફગાવી
જો કંપની પ્લાન્ટ દૂધનો ઉપયોગ બંધ કરે તો ખેડૂતોનું શું થશે? MD આર.એસ.સોઢીએ કહ્યું
પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઇન્ડિયાએ અમૂલ ડેરીને શાકાહારી દૂધનું ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લેવાનું કહ્યું છે PETAએ અમૂલને કરેલી અરજી લઈ પશુ પાલકોમાં રોષ ફેલાયો છે. પેટાએ અમુલને લખેલા પત્રમાં અમૂલને પ્લાન્ટ બેઝ્ડ ડેરી પ્રોડક્ટ એટલે કે અમૂલ ડેરીને શાકાહારી દૂધનું ઉત્પાદન શરૂનું કહ્યું છે.
PETAનો અમૂલના એમડીને પત્ર
PETA એ અમૂલના એમડી આરએસ સોઢીને લખેલા પત્રમાં કહ્યું છે કે ડેરી સહકારી સમિતિએ શાકાહારી ભોજનના વધતા પ્રભાવ સાથે દૂધ બજારમાં પણ આ લાભ આપવો જોઇએ. પેટાએ કહ્યું છે કે અમે ફરીથી અમૂલ ડેરીને શાકાહારી ભોજન અને દૂધના બજારનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. કુદરતી સંસાધનોને બરબાદ કરવાની જગ્યાએ વનસ્પતિ આધારિત ઉત્પાદન વધારવાની અમારી અપીલ છે.
ભારતીયો માટે પણ દૂધ વરદાન સ્વરૂપ
મહત્વનું છે કે કરોડો ભારતીયોમાંથી ઘણા એવા છે જેઓ માંસાહાર કરતા નથી. તેમના માટે દૂધ જ એક સંપૂર્ણ આહાર છે. એટલે ખેડૂતો ઉપરાંત શાકાહારી ભારતીયો માટે પણ દૂધ વરદાન સ્વરૂપ છે. દૂધનો ઉપયોગ વૈદિક કાળથી થતો આવ્યો છે અને આપણે તો ગાયને પણ માતા તરીકે અને પશુઓને આપણા ઘરના સભ્ય તરીકે ઉછેરતા આવ્યા છે. બજારમાં અન્ય કેટલીક કંપનીઓએ ઉત્પાદન શરૂ કર્યું છે ત્યારે અમૂલ પણ આ ઉત્પાદન શરૂ કરે તેવી PETA એ રજૂઆત કરી છે.
PETAની અરજીને ફગાવી દીધી
જોકે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ PETAની અરજીને ફગાવી દીધી છે. આ મામલે અમૂલ GCMMFના MD આર.એસ.સોઢીએ કહ્યું કે ડેરી ક્ષેત્ર અંતર્ગત 10 કરોડ ખેડૂત કામ કરી રહ્યા છે. જો કંપની પ્લાન્ટ દૂધનો ઉપયોગ બંધ કરે તો ખેડૂતોનું શું થશે? તેમજ સોઢીએ કહ્યું કે વિદેશી ભંડોળથી ચાલતી PETA ષડયંત્ર રચી રહી હોવાનું લાગી રહ્યું છે.
દૂધ એક આસાન અને હંમેશા ઉપલબ્ધ રહેતો સ્ત્રોત
વધુમાં GCMMFના MD આર.એસ.સોઢીએ કહ્યું કે દૂધ એક આસાન અને હંમેશા ઉપલબ્ધ રહેતો સ્ત્રોત છે. વનસ્પતિ આધારિત દૂધથી કિસાનોની રોજી છીનવાઇ શકે છે.એવી સંસ્કૃતિઓ કે જ્યાં પશુઓને માત્ર કંઇક મેળવવાના સાધન તરીકે જોવામાં આવે છે ત્યાં આ સમસ્યા મોટી કહેવાય. આમ, તો વનસ્પતિમાં પણ જીવ હોય છે. એટલે વનસ્પતિમાંથી પણ કંઇક મેળવવું એ એક પ્રકારની હિંસા તો કહેવાય.