નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં ઉત્તર પ્રદેશનાં 22 જિલ્લામાં હિંસા થઈ હતી. 4 દિવસ ચાલેલી આ હિંસામાં 10 જિલ્લામાંથી 20 યુવકોનાં મોંત નિપજ્યાં હતાં. હિંસામાં માર્યા ગયાં હતાં. હિંસામાં માર્યાં જનારા યુવકોમાં કેટલાકનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં. તો કોઈ પિતા બનવાનો હતો. તો કોઈ IAS બનવા માંગતો હતો. તો કોઈ ઘરમાં એક માત્ર કમાનારો હતો. લખનોઉ જ્યાંથી યુપીમાં હિંસા શરુ થઈ, મેરઠ જ્યાં હિંસામાં સૌથી વધારે મોંત થઈ અને બિજનૌર જ્યાં મૃતકોનાં ઘરે પ્રિયંકા ગાંધીનાં પહોંચવાથી મોત પર રાજકારણ શરું થયું. ત્યારે જાણો શું કહી રહ્યાં છે આ હિંસામાં મરનારા 6 યુવકોનાં પરિવારજનો... આમાંથી ઘણાં કેસમાં ફરિયાદ પણ દાખલ થઈ નથી.
દુકાનથી પાછો આવી રહેલો અલીમ ઘરે જ ન પહોંચ્યો
માતાનાં કહેવાથી વસ્તુ લેવા ગયોને ગોળી વાગી
IASની તૈયારી કરી રહ્યો હતો સુલેમાન
મેરઠમાં મૃતક યુવકની પત્નીને 6 મહિનો ગર્ભ છે
મેરઠની હિંસામાં બે આસિફ માર્યા ગયા હતાં. એક ઘરનો એક માત્ર કમાનારો હતો. બીજાની પત્નીને 6 મહિનાનો ગર્ભ હતો. જેની પત્ની ગર્ભવતી હતી કે આરિફ ટાયર રિપેરનું કામ કરતો હતો. રોજનાં 400-500 કમાઈને 2 બાળક સહિત ગર્ભવતી પત્નીનું ભરણપોષણ કરતો હતો. પોલીસની ગોળીએ આ પરિવાર નોંધારો થયો હતો.
બીજો આરીફ ઘરનો એક માત્ર કમાનારો હતો. જે ઈ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતો હતો. 2 ભાઈ 2 બહેનો અને માતા પિતાની જવાબદારી તેના માથે હતી. બહેનના લગ્ન કરવા તે એક એક રુપિયો ભેગો કરી રહ્યો હતો.
દુકાનથી પાછો આવી રહેલો અલીમ ઘરે જ ન પહોંચ્યો
મેરઠમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા 5 લોકોમાં અલીમ પણ હતો. અલીમ રોટલી બનાવવાનું કામ કરતો હતો. રોજનાં 400-500 રુપિયા કમાય છે. એ દિવસે અલીમ દુકાને ગયો હતો પણ દુકાન બંધ હોવાને કારણે તે પાછો આવી રહ્યો હતો. તે દિવસે રસ્તામાં તેને પોલીસની ગોળી વાગતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતકનાં પરિવારને 14 કલાકે તો તેનો મૃતદેહ મળ્યો હતો.
માતાનાં કહેવાથી વસ્તુ લેવા ગયોને ગોળી વાગી
યુપીમાં હિંસાની શરુઆત લખનોઉનાં હુસૈનાબાદથી થઈ હતી. આ હિંસામાં વકીલ નામના એક વ્યક્તિનું મોત થયું હતું. વકીલ ઈ રિક્ષા ચલાવતો હતો. એક વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયાં હતાં. પત્નીને જ્યારે તેનાં મોતના સમાચાર મળ્યાં તો તેણે બોલવાનું બંધ કરી દીધું રોતા રોતા સુઈ જાય છે. પરિવારજનો તેને જબરજસ્તી જમાડે છે. વકીલ માતાનાં કહેવાથી સામાન લેવા ગયો હતો. મહોલ્લાની દુકાન બંધ હોવાથી તે હુસૈનાબાદ ગયો હતો. જ્યાં તે હિંસામાં ફસાયો અને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું.
IASની તૈયારી કરી રહ્યો હતો સુલેમાન
બિજનૌરમાં થયેલી હિંસામાં 2 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જેમાં એક સુલેમાન હતો. સુલેમાન યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. આર્થિક રીતે નબળા પરિવારથી આવતાં સુલેમાનનાં પિતા ખેતી કરે છે. પિતાએ યુપીએસસીની તૈયારી માટે નોઈડા પણ મોકલ્યો હતો. એ દિવસે તે જુમ્માની નમાજ પઢીને નિકળ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ભાગ દોડ મચી હતી. એ બાદ થયેલા ગોળી બારમાં તેનું મોંત નિપજ્યું હતું.
સમયસર સારવાર મળતી તો મોહસિન જીવતો હોત : પરિવાર
મોહસિન કબાડી કામ કરે છે. તેને 6 મહિનાનો દિકરો અને 3 વર્ષની દીકરી છે. તે દિવસે વાતાવરણ સારુ ન હોવાથી તે નમાજ પઢીને ઘરે આવ્યો હતો. વાતાવરણ શાંત થતાં તે વસ્તુ ખરીદવા ગયો અને તે પાછો ન આવ્યો. પરિવારનો આક્ષેપ છે કે તેને હોસ્પિટલ લઈ ગયા હતાં પણ તેને દાખલ ન કરતા તેને બીજી મેડિકલ કોલેજ લઈ ગયાં જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જ્યાં મોહસિનને ગોળી મારવામાં આવી ત્યાં હિંસા નહોતી થઈ. પોલીસવાળાની સાથે સાદા કપડામાં કેટલાંક લોકો ગોળીબાર કરી રહ્યાં હતાં અને તેનું પોસ્ટમોર્ટમ પણ કરાયું નથી ન તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે.