ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે 71મો ગણતંત્રદિવસ છે. આ દિવસે સમગ્ર ભારતમાં સંવિધાન લાગુ થયો હતો. અને આ દિવસને ગણતંત્રદિવસ તરીકે મનાવ્યો હતો.
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર મનાવવામાં આવે છે. આ વર્ષે દેશનો 71મો ગણતંત્રદિવસ છે. 26 જાન્યુઆરી 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું હતું. સ્વતંત્ર ગણરાજ્ય તરીકે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું. આ સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર હતા. જ્યારે જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ વગેરે આ સભાના પ્રમુખ હતા.
વર્ષ 1929ના ડીસેમ્બરમાં પંડિત જવાહરલાલ નહેરુએ લાહોર મુકામે કોંગ્રેસનું અધિવેશન કર્યું હતું. આ એક પ્રસ્તાવની ઘોષણા કરી હતી. જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી, 1930 સુધીમાં ભારતને ડોમેનીયમનો દર્જો નહી આપે તો ભારતને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ ઘોષિત કરી દેવામાં આવશે.
26 જાન્યુઆરી 1950માં કેવી રીતે સંવિધાન લાગુ થયું ?
ડો.ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના આઝાદ સહિત સંવિધાન નિર્માણમાં 22 વ્યક્તિઓની સમિતિ હતી. આ સમિતીનું કાર્ય સંવિધાન લખવું અને તેનું નિર્માણ કરવું હતું. જે બાદ સુધારા અને બદલાવ માટે સભામાં 308 સદસ્યોએ 24 જાન્યુઆરી 1950માં સંવિધાનની 2 હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. અને સંવિધાનને 26 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ મનાવવામાં આવે છે.
ગણતંત્રદિવસ સાથે જોડાયેલા તથ્યો
1. 26 જાન્યુઆરી 1950ના દિવસે સવારે 10:18થી સમગ્ર ભારતમાં સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું.
2.પૂર્ણ સ્વરાજ્ય દિવસ (26 જાન્યુઆરી 1930) ને ધ્યાનમાં રાખી ભારતના સંવિધાનને 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો.
૩.રાષ્ટ્રગાન દરમિયાન 21 ટોપોને સલામી આપવામાં આવે છે. 21 ટોપોની આ સલામી રાષ્ટ્રગાનની શરૂઆતથી જ શરૂ થાય છે. અને 52 સેકન્ડ રાષ્ટ્રગાન સંપૂર્ણ થવાની સાથે જ પૂરી થાય છે.
4. આ સાથે જ ગણતંત્ર દિવસના અવસર પર વીરતા પુરસ્કાર આપવામાં આવે છે.