દેશના છ કરોડ કર્મચારીઓને EPFOએ માટી ગીફ્ટ આપી છે. કર્મચારીઓના PF પર વર્ષ 2018-19 દરમિયાન હવે 8.55ના બદલે 8.65 ટકા વ્યાજ મળશે. EPFOએ કર્મચારીઓના પ્રોવિડેન્ટ ફંડને 0.10 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યું છે. એવી અટકળો હતી કે EPFO વ્યાજના દરમાં ફેરફાર ન કરે.
વર્ષ 2016માં PF પર 8.55 ટકા વ્યાજદર મળતો હતો. કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતાના કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બોર્ડ દર વર્ષે કર્મચારીઓની ભવિષ્યની જમા રકમના વ્યાજદર પર નિર્ણય લે છે અને બોર્ડના નિર્ણય પર નાણા મંત્રાલય મંજૂરી આપે છે. ત્યારબાદ વ્યાજ દર ખાતાધારકના ખાતામાં જમા કરવામાં આવે છે.
પહેલાં કેટલો મળતો હતો વ્યાજદર?
વર્ષ 2012-13માં PF પર 8.5 ટકા વ્યાજ મળતો હતો. ત્યારબાદ 2014-15માં 8.75 ટકા થયો. 2015-16માં વ્યાજદર વધીને 8.8 ટકા થયો. ત્યારબાદ 2016-2017માં વ્યાજદર 8.55 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ વ્યાજદર ચાલતો હતો. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવતું હતું કે, આ વ્યાજદર સ્થિર અથવા વધશે. ત્યારબાદ આ નિર્ણય સામે આવ્યો છે.
શું હોય છે EPFO?
કર્મચારીઓ માટે વર્ષ 1951માં EPFO બનાવવામાં આવી હતી. જેની ઓફિસમાં એવી બધી કંપનીઓએ નોંધણી કરાવવાની હોય છે જ્યાં 20થી વધુ કર્મચારીઓ કામ કરે છે. દરેક કંપની માટે કર્મચારીઓનું PF એકાઉન્ટ ખોલવું મહત્વપૂર્ણ હોય છે અને ત્યારબાદ તેમાં થોડા પૈસા જમા કરાવે. જેનો હેતુ ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આનો અર્થ એ છે કે આ પૈસા સાથે કર્મચારીઓની ભાવિ જરૂરિયાતો માટે કેટલાક પૈસા બચાવવામાં આવે છે.
કેવી રીતે જમા થાય છે પૈસા?
કોઇ પણ કંપનીમાં કામ કરતા કર્મંચારીના પગારમાંથી દર મહિને કેટલાક પૈસા કાપી લેવામાં આવે છે. જે સામાન્ય પગારનો 12 ટકા હોય છે. જેમાં એટલું જ યોગદાન એટલે કે, 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે. કર્મચારીના ભાગની 12 ટકા રકમ તેમા PF ખાતામાં જમા થાય છે. જ્યારે કંપનીના ભાગમાંથી માત્ર 3.67 ટકા જ કર્મચારીના PF ખાતામાં જમા થાય છે. બાકી 8.33 ટકા રકમ કર્મચારી પેંશન યોજના એટલે કે, EPF ખાતામાં જમા થઇ જાય છે. કર્મચારી પોતાના પગારમાંથી 12 ટકાથી વધારે રકમ પણ કપાવી શકે છે. જેના પર ટેક્ષની છુટ મળે છે, પરંતુ કંપની 12 ટકાનું જ યોગદાન કરે છે.
કેટલું મળે છે પેંશન?
જેમ પહેલાં જણાવ્યું એમ કંપનીના ભાગની 8.33 ટકા રકમ પેંશમ સ્કીમમાં જાય છે. જે કર્મચારીને 58 વર્ષ બાદની ઉમરમાં પેંશમ મળે છે. જેના માટે 10 વર્ષ નોકરી જરૂરી છે. પેંશન 1000થી 3250 રૂપિયા મહિને મળી શકે છે. આ પેંશન ખાતાધારકને આજીવન મળે છે.
કઇ રીતે મેળે છે એડવાન્સ?
PF ખાતામાંથી પૈસા કાઢી પણ શકાય છે. કર્મચારી ખુદ અથવા પરિવારમાં કોઇ બિમાર હોય તો પગારના છ ગણા પૈસા કાઢી શકે છે. કર્મચારી પોતાના લગ્નમાં અથવા ઘરમાં કોઇના લગ્ન હોય તો જમા રકમના 50 ટકા કાઢી શકે છે. હોમ લોન ચુકવવા પગારનાના 36 ગણા પૈસા PFથી મળી જાય છે. ઘરમા રિનોવેશન માટે પગારના 12 ગણા અને ઘર ખરીદવા માટે પણ પૈસા કાઢી શકે છે.